નવસારીમાં લાંચ લેતા ઝડપાયેલા પત્રકાર મુન્ના મિશ્રાની જામીન અરજી કોર્ટે ફગાવી
નવસારીમાં લાંચ લેતા ઝડપાયેલા પત્રકાર મુન્ના મિશ્રાની જામીન અરજી કોર્ટે ફગાવી
Published on: 03rd September, 2026

નવસારીમાં સરકારી કામોના કોન્ટ્રાક્ટર પાસે RT.I. નહીં કરવા અને સમાચાર નહીં છાપવાના બદલામાં રૂ. 51,000 ની લાંચ માંગનાર પત્રકાર સતશંકર ઉર્ફે મુન્ના મિશ્રાની જામીન અરજી નવસારી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. ACB દ્વારા રંગેહાથ ઝડપાયેલા મુન્ના મિશ્રા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદીએ ACB ના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ACB એ લાંચનું છટકાનું આયોજન કર્યું હતું. કોર્ટે સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી જામીન અરજી ફગાવી દીધી છે.