વડગામ તાલુકાના થલવાડામાં લોખંડની પાઇપો ફ્ટકારી આધેડની હત્યા
વડગામ તાલુકાના થલવાડામાં લોખંડની પાઇપો ફ્ટકારી આધેડની હત્યા
Published on: 28th April, 2026

વડગામ તાલુકાના થલવાડા ગામે નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં ૬૫ વર્ષીય આધેડની હત્યાથી પંથકમાં હાહાકાર મચી ગયો છે. ઘાસચારામાં મરઘાના પીંછા ઉડવા બાબતે ઠપકો આપતા, ગેરકાયદેસર મટનની દુકાન ચલાવતા ત્રણ શખ્સોએ સોરમભાઈ સિપાઈ પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન મોત નિપજતા સિપાઈ સમાજમાં રોષ ફેલાયો છે. છાપી પોલીસે ત્રણ હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી, ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે.