બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત
બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત
Published on: 28th April, 2026

અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં 3,034.90 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી બાદ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ વિરુદ્ધ અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિનો આંકડો 19,344 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. તપાસ દરમિયાન EDએ પ્રમોટર ગ્રુપની ઘણી મોંઘી સંપત્તિઓ શોધી PMLA હેઠળ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. આ સંપત્તિઓમાં મુંબઈની ઉષા કિરણ બિલ્ડિંગમાં આવેલો એક લક્ઝરી ફ્લેટ અને પુણેના ખંડાલામાં આવેલું ફાર્મહાઉસ સામેલ છે.