અલ્લાહાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો: આરોપીના ઘરે 2 વર્ષ સુધી બુલડોઝર નહીં ફરે
અલ્લાહાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો: આરોપીના ઘરે 2 વર્ષ સુધી બુલડોઝર નહીં ફરે
Published on: 22nd July, 2026

અલ્લાહાબાદ હાઇકોર્ટનો 'બુલડોઝર જસ્ટિસ' મુદ્દે વિભાજિત ચુકાદો આવ્યો છે. એક જજ જસ્ટિસ અતુલ શ્રીધરને FIR નોંધાયાની તારીખથી 2 વર્ષ સુધી આરોપીના ઘર પર ડિમોલિશન કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો. તેમણે આવી કાર્યવાહીને બદલાની ભાવના ગણાવી. જોકે, બીજા જજ જસ્ટિસ સિદ્ધાર્થ નંદને આના પર અસહમતિ દર્શાવી, કહ્યું કે કાર્યવાહી રોકવા માટે ચોક્કસ સમયસીમા નક્કી ન થઈ શકે. આ મતભેદને કારણે મામલો ત્રીજા જજ પાસે મોકલાયો છે.