નર્મદા કેનાલ તોડી બૈતુન નૂર સિટિ સોસાયટી બાંધકામ: ભાગીદારો સામે ફરિયાદ
નર્મદા કેનાલ તોડી બૈતુન નૂર સિટિ સોસાયટી બાંધકામ: ભાગીદારો સામે ફરિયાદ
Published on: 22nd June, 2026

ડભોઇ તાલુકાના સેગુવાડા ખાતે નર્મદા નિગમની કેનાલમાં તોડફોડ કરીને નવી બંધાતી બૈતુન નૂર સિટિ સોસાયટીના ભાગીદારો સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નોટિસ આપવા છતાં બાંધકામ ચાલુ રાખતા સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીએ રહીમભાઇ ફીરોજભાઇ ખત્રી, નાસીરભાઇ, જાવેદભાઇ વોરા અને હનિફભાઇ સામે ફરિયાદ કરી છે. આશરે ૨૮૫ મીટર લંબાઇ અને ૧૫ મીટર પહોળાઇવાળો કેનાલનો ભાગ તોડી, માટી હટાવી, જમીન સમતળ કરી ગેરકાયદે દબાણ કરાયું હતું.