દિલ્હી હોટલ આગ: પોલીસ તપાસ પર પ્રશ્નો, રસોઈયાને 'બલિનો બકરો' બનાવવાનો આરોપ
દિલ્હી હોટલ આગ: પોલીસ તપાસ પર પ્રશ્નો, રસોઈયાને 'બલિનો બકરો' બનાવવાનો આરોપ
Published on: 12th June, 2026

દિલ્હીની ‘ફ્લોરિસ સ્ટે’ હોટેલમાં લાગેલી આગમાં 23 લોકોના મોત બાદ પોલીસ તપાસ પર ગંભીર સવાલો ઉભા થયા છે. સિવિલ સોસાયટી અને સામાજિક કાર્યકરોનો આરોપ છે કે હોટેલ માલિકો, MCD અને પોલીસ અધિકારીઓને બચાવવા માટે 65 વર્ષીય રસોઈયા કેશવ સિંહ નેગીને 'બલિનો બકરો' બનાવવામાં આવી રહ્યા છે. તેમના પર 5 ગંભીર ગુનાહિત કલમો લગાવી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે. લોકોનું કહેવું છે કે સુરક્ષા ધોરણોની અવગણના માટે મેનેજમેન્ટ અને માલિકો જવાબદાર છે, કર્મચારી નહીં. MCD અધિકારીઓ અને DTDCની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.