દિલ્હી હોટલ આગ: પોલીસ તપાસ પર પ્રશ્નો, રસોઈયાને 'બલિનો બકરો' બનાવવાનો આરોપ
દિલ્હીની ‘ફ્લોરિસ સ્ટે’ હોટેલમાં લાગેલી આગમાં 23 લોકોના મોત બાદ પોલીસ તપાસ પર ગંભીર સવાલો ઉભા થયા છે. સિવિલ સોસાયટી અને સામાજિક કાર્યકરોનો આરોપ છે કે હોટેલ માલિકો, MCD અને પોલીસ અધિકારીઓને બચાવવા માટે 65 વર્ષીય રસોઈયા કેશવ સિંહ નેગીને 'બલિનો બકરો' બનાવવામાં આવી રહ્યા છે. તેમના પર 5 ગંભીર ગુનાહિત કલમો લગાવી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે. લોકોનું કહેવું છે કે સુરક્ષા ધોરણોની અવગણના માટે મેનેજમેન્ટ અને માલિકો જવાબદાર છે, કર્મચારી નહીં. MCD અધિકારીઓ અને DTDCની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
દિલ્હી હોટલ આગ: પોલીસ તપાસ પર પ્રશ્નો, રસોઈયાને 'બલિનો બકરો' બનાવવાનો આરોપ
અલનીનોની શરૂઆત, ભારતનો IOD ચોમાસાને કેવી રીતે બચાવશે?
ભારતીય હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે કે પ્રશાંત મહાસાગરમાં અલનીનોની શરૂઆત થઈ ગઈ છે અને તેની સ્થિતિ ઝડપથી વિકસી રહી છે. અલનીનોની અસર ભારતના ચોમાસાને નબળું પાડી શકે છે, પરંતુ હિંદ મહાસાગરમાં વિકસિત થતો પોઝિટિવ ઇન્ડિયન ઓસિન ડાયપોલ (IOD) તેની અસરને ઓછી કરી શકે છે. પોઝિટિવ IOD ભારતમાં સારા વરસાદ માટે આશાનું કિરણ બની શકે છે, જે જૂન-જુલાઈમાં અલનીનોની અસરને સપ્ટેમ્બર સુધીમાં સંતુલિત કરી શકે છે.
અલનીનોની શરૂઆત, ભારતનો IOD ચોમાસાને કેવી રીતે બચાવશે?
SIR અભિયાન: ઝાંખા ફોટા, ડુપ્લિકેટ નામ દૂર, મકાન નંબરની જગ્યાએ ચોક્કસ સરનામું નોંધાશે
ચૂંટણી પંચના Special Intensive Revision (SIR) અભિયાન દ્વારા મતદાર યાદીને વધુ ચોક્કસ બનાવવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ, અંદાજે 30 કરોડ મતદાર ઓળખ કાર્ડ (EPIC) માંથી ઝાંખા, જૂના અથવા ગેરહાજર ફોટા દૂર કરવામાં આવશે અને તેને બદલે તાજા, રંગીન ફોટો લગાવવામાં આવશે. હવે મકાન નંબર '00' લખવાને બદલે ચોક્કસ સરનામું નોંધવામાં આવશે. એકથી વધુ જગ્યાએ નામ નોંધાવવું ગુનો ગણાશે, અને ડુપ્લિકેટ EPIC દૂર કરાશે. આનાથી વાસ્તવિક મતદારોની સંખ્યા વધશે અને મતદાનની ટકાવારી સુધરશે.
SIR અભિયાન: ઝાંખા ફોટા, ડુપ્લિકેટ નામ દૂર, મકાન નંબરની જગ્યાએ ચોક્કસ સરનામું નોંધાશે
31મી મેના પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ બે વર્ષની ટોચે જોવા મળી
મુંબઈ : ૩૧મી મેના સમાપ્ત થયેલા પખવાડિયામાં દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ લગભગ બે વર્ષની ટોચે જોવા મળી છે. સદર પખવાડિયામાં બેન્ક ધિરાણમાં ૧૭.૬૫ ટકા વૃદ્ધિ થઈ છે જે બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણ માગ મજબૂત હોવાનું સૂચવે છે.જો કે ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ ૧૨.૨૧ ટકા સાથે પ્રમાણમાં નબળી રહી હતી.
31મી મેના પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ બે વર્ષની ટોચે જોવા મળી
ભારત સામે પ્રથમ વન-ડે સિરીઝમાં અફઘાનિસ્તાન: કોહલી-પંડ્યા વિના ઉતરશે ભારત, વરસાદની 55% શક્યતા
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાશે. આ અફઘાનિસ્તાનની ભારત સામેની પ્રથમ વન-ડે સિરીઝ છે. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ઈજાના કારણે બહાર છે, જ્યારે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને આરામ અપાયો છે. મેદાન પર બેટર્સ અને ફાસ્ટ બોલરો બંનેને મદદ મળશે. હવામાન વિભાગ મુજબ, આજે વરસાદની 55% શક્યતા છે, જે મેચ પર અસર કરી શકે છે.
ભારત સામે પ્રથમ વન-ડે સિરીઝમાં અફઘાનિસ્તાન: કોહલી-પંડ્યા વિના ઉતરશે ભારત, વરસાદની 55% શક્યતા
મે માસમાં SIPમાં 54.16 લાખ નવા ખાતા : રોકાણ રૂા. 30,000 કરોડથી વધુ
અમદાવાદ : સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (સિપ) ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે સૌથી મજબૂત વૃદ્ધિ એન્જિન રહ્યું છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ચોખ્ખો પ્રવાહ મે મહિનામાં ૪૦% ઘટીને રૂા. ૨૨,૯૦૮ કરોડના એક વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો. જોકે, સિપ દ્વારા નિયમિત રોકાણોની ગતિ મજબૂત રહી છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, સિપ રોકાણો સતત ત્રીજા મહિને રૂ. ૩૦,૦૦૦ કરોડથી ઉપર રહ્યા છે.
મે માસમાં SIPમાં 54.16 લાખ નવા ખાતા : રોકાણ રૂા. 30,000 કરોડથી વધુ
વૈજ્ઞાનિક અભિગમથી ખરીફ સિઝનમાં કપાસ અને દિવેલાની આંતરપાક ખેતીથી બમણું વળતર
ખેતી ખર્ચ વધતાં ખેડૂતો માટે આવક વધારવાના વિકલ્પો શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં, વૈજ્ઞાનિક પદ્ધતિથી આંતરપાક ખેતી અપનાવી ખેડૂતો ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકે છે. ખરીફ સિઝનમાં કપાસ અને દિવેલાની આંતરપાક ખેતી ખૂબ ફાયદાકારક છે. આ પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, રાસાયણિક ખાતરોની જરૂરિયાત ઘટે છે અને એક જ ખેતરમાંથી બે પાકનું ઉત્પાદન મેળવી શકાય છે. કઠોળ વર્ગના પાકો સાથેના આંતરપાકથી જમીનમાં નાઇટ્રોજન ઉમેરાય છે અને ભેજ લાંબો સમય જળવાઈ રહે છે.
વૈજ્ઞાનિક અભિગમથી ખરીફ સિઝનમાં કપાસ અને દિવેલાની આંતરપાક ખેતીથી બમણું વળતર
નસવાડીના સાંકળ (ત) ગ્રામ પંચાયતમાં જનકલ્યાણ શિબિર: નાગરિકોને સરકારી યોજનાનો લાભ મળ્યો
નસવાડી તાલુકાના સાંકળ (ત) ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી જનકલ્યાણ શિબિરમાં બરોલી જિલ્લા પંચાયતના 37 ગામના નાગરિકોએ લાભ લીધો. વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, દિવ્યાંગ સહાય યોજના, અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન કાર્ડ) જેવી યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ મંજૂરી હુકમો અને લાભો મળ્યા. નાગરિકોને યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું અને સમયસર અરજીઓના નિકાલની સૂચના આપી.
નસવાડીના સાંકળ (ત) ગ્રામ પંચાયતમાં જનકલ્યાણ શિબિર: નાગરિકોને સરકારી યોજનાનો લાભ મળ્યો
બોમ્બે HC ના ગુજરાતી મૂળના રિટાયર્ડ જસ્ટિસને હત્યાની ધમકી: પુત્રી પર હુમલો, ચુકાદાને કારણે બન્યું છે કારણ
બોમ્બે હાઇકોર્ટના ગુજરાતી મૂળના રિટાયર્ડ જસ્ટિસ ગૌતમ પટેલ અને તેમના પરિવારને છેલ્લા 10 મહિનાથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. લંડનમાં રહેતી તેમની પુત્રી પર પણ હુમલો થયો છે. આનું કારણ વર્ષ 2024માં દાઉદી વોરા સમાજના ધર્મગુરુના ઉત્તરાધિકાર અંગે આપેલ ચુકાદો છે. જસ્ટિસ પટેલે આ અંગે ભારત અને યુકેની એજન્સીઓ સમક્ષ ન્યાયની માગ કરી છે. તેમણે જણાવ્યું કે, રિટાયરમેન્ટનો મતલબ આવો ભય નહીં વિચાર્યો હતો.
બોમ્બે HC ના ગુજરાતી મૂળના રિટાયર્ડ જસ્ટિસને હત્યાની ધમકી: પુત્રી પર હુમલો, ચુકાદાને કારણે બન્યું છે કારણ
કરજણ પાલિકાને ફાળવાયેલ રૂા.39.50 લાખના નવા જેસીબી મશીનનું ધારાસભ્ય દ્વારા લોકાર્પણ કરાયું
કરજણ નગર પાલિકાને ગુજરાત સરકારની UDP 2025 સ્વચ્છતા અભિયાન હેઠળ સ્વચ્છતા જાળવણી માટે આધુનિક રૂા.39.50 લાખનું નવું જેસીબી મશીન ફાળવવામાં આવ્યું છે. આ મશીનનું લોકાર્પણ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા નગરપાલિકા બિલ્ડિંગ ખાતે શ્રીફ્ળ વધેરી કરવામાં આવ્યું. આ પ્રસંગે નગર પાલિકાના પ્રમુખ, ચીફ ઓફ્સિર અને અન્ય સભ્યો-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કરજણ પાલિકાને ફાળવાયેલ રૂા.39.50 લાખના નવા જેસીબી મશીનનું ધારાસભ્ય દ્વારા લોકાર્પણ કરાયું
સાવલી નગરમાં પાણી ન મળતાં નગરજનોનો નગરપાલિકા સામે ભારે હોબાળો
સાવલીના વોર્ડ નં. 2માં છેલ્લા 6 મહિનાથી અનિયમિત પાણી અને 48 કલાકથી પાણી ન મળતાં નગરજનોએ નગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. બોર ખોદકામ દરમિયાન પાણીની મુખ્ય લાઈન તૂટી જતાં આ સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોએ અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતાં બોર ખોદકામના સ્થળે એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતો. કોર્પોરેટરોએ ઘટના સ્થળે પહોંચી સમારકામ અને તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવાની ખાતરી આપી હતી, પરંતુ લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.
સાવલી નગરમાં પાણી ન મળતાં નગરજનોનો નગરપાલિકા સામે ભારે હોબાળો
ડભોઇ પંથકના ખેડૂતોની જુવાર ખરીદીમાં પ્રતિ હેક્ટર જથ્થો વધારવા રાજ્ય સરકારમાં રજૂઆત
ડભોઇ પંથકના ખેડૂતોએ સરકાર દ્વારા ટેકાના ભાવે જુવારની ખરીદી માટે હેક્ટર દીઠ નક્કી કરાયેલા જથ્થા સામે વિરોધ દર્શાવ્યો છે. તેમણે ડભોઇ એપીએમસી ખાતે એક દિવસીય ધરણાં યોજી, રેલી સ્વરૂપે પ્રાંત કચેરી પહોંચી આવેદનપત્ર સુપ્રત કર્યું. ખેડૂતોની મુખ્ય માગ છે કે જુવાર ખરીદીનો જથ્થો પ્રતિ હેક્ટર 1850 કિલો કરવામાં આવે, જે અગાઉ અમલમાં હતો. આ નિર્ણય ખેડૂતોની આર્થિક સ્થિતિને સુધારવામાં મદદરૂપ થશે, ખાસ કરીને ચોમાસા પહેલાં નવી સિઝનની તૈયારીઓ માટે.
ડભોઇ પંથકના ખેડૂતોની જુવાર ખરીદીમાં પ્રતિ હેક્ટર જથ્થો વધારવા રાજ્ય સરકારમાં રજૂઆત
નસવાડી તાલુકાના કાંધા ગામે બોગસ દવાખાનું સીલ, આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી
નસવાડી તાલુકાના કાંધા ગામમાં એક શંકાસ્પદ દવાખાના પર આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. પ્રદીપ સરકાર નામના વ્યક્તિ દ્વારા ચલાવાતું આ દવાખાનું જરૂરી તબીબી લાયકાત અને કાયદેસર મંજૂરી વિના કાર્યરત હોવાનું ધ્યાનમાં આવતા આરોગ્ય વિભાગની ટીમે તેને સીલ મારી દીધું છે. દવાખાનામાંથી લગભગ રૂા. 57 હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. Clinical Establishment Act (CEA) હેઠળ નોંધણી ફરજિયાત હોવા છતાં, આવા ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરનારાઓ સામે આરોગ્ય વિભાગનું ચકાસણી અભિયાન ચાલુ રહેશે.
નસવાડી તાલુકાના કાંધા ગામે બોગસ દવાખાનું સીલ, આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી
પંચમહાલ જિલ્લા કલેક્ટરની હાલોલ નજીક વિરાસત વન અને જનકલ્યાણ શિબિર ની મુલાકાત
પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ હાલોલ તાલુકાના સાથરોટા ગામ ખાતે યોજાયેલ જનકલ્યાણ શિબિરની મુલાકાત લીધી. આ પ્રસંગે તેમણે પ્રખ્યાત સાંસ્કૃતિક વન વિરાસત વનની પણ મુલાકાત લઈને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું. વડાપ્રધાન મોદીના શાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત પ્રગતિપથ યાત્રાના ભાગરૂપે આ શિબિર યોજાઈ હતી. જેમાં લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના પ્રમાણપત્રો અને સહાય અર્પણ કરાયા હતા. ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત અનેક મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જિલ્લા કલેક્ટરની હાલોલ નજીક વિરાસત વન અને જનકલ્યાણ શિબિર ની મુલાકાત
મહેસાણા: MD ડ્રગ્સ કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
મહેસાણા ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલે MD ડ્રગ્સના 10.86 લાખ રૂપિયાના જથ્થા સાથે રાજસ્થાનના સુરેશ વિરારામજી બિશ્નોઈ સહિત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં જેલમાં બંધ આરોપી સુરેશ બિશ્નોઈએ મહેસાણા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. સરકારી વકીલ પરેશભાઈ દવેની દલીલોને ધ્યાનમાં રાખીને, સેશન્સ કોર્ટ જજ એમ.એફ.ખત્રીએ આરોપી સુરેશ બિશ્નોઈની જામીન અરજી નામંજૂર કરી છે.
મહેસાણા: MD ડ્રગ્સ કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
ઓલ ઈન્ડિયા ડાન્સ સ્પર્ધામાં ગોધરાના આયુષી પુરોહિત અને ગ્રુપે રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું
શિમલામાં યોજાયેલી 71મી ઓલ ઈન્ડિયા ડાન્સ કોમ્પિટિશનમાં ગોધરાના ડાન્સ ગ્રુપે પરંપરાગત ગુજરાતી ગરબો રજૂ કરીને રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી. કોરિયોગ્રાફર આયુષી પુરોહિત (સલારિયા)ના નેતૃત્વ હેઠળ, તેમના 'ગરવી બાય થનગનાટ' ગ્રુપે ફેક ડાન્સ કેટેગરીમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું. આયુષીએ સોલો ક્લાસિકલ કેટેગરીમાં ભરતનાટ્યમ રજૂ કરીને ઓલ ઈન્ડિયા લેવલે બીજું સ્થાન મેળવ્યું. ગ્રુપના અન્ય સભ્યો અને સહાયકોને પણ શુભેચ્છા મળી.
ઓલ ઈન્ડિયા ડાન્સ સ્પર્ધામાં ગોધરાના આયુષી પુરોહિત અને ગ્રુપે રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું
Mehsana: પાટીદાર પ્લાઝા નજીકનો ખાડો અંતે પુરાયો, વાહનચાલકોને મળશે રાહત
મહેસાણા શહેરમાં ધોબીઘાટથી ગાંધીનગર લિંક રોડ તરફ્ જવાના મુખ્ય રસ્તા પર, પાટીદાર પ્લાઝાની બિલકુલ બાજુમાં છેલ્લા અનેક દિવસોથી રસ્તાની વચ્ચોવચ એક મસમોટો ખાડો વાહનચાલકોની કમર તોડી રહ્યો હતો. જો કે, સંદેશમાં આ અંગે અહેવાલ પ્રસિધ્ધ થતાં અધિકારીઓને આ ખાડો મળ્યો હતો અને તુરંત ગટરની કુંડીનું ઢાંકણું નવું લગાવી તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. આથી અહી નીકળતા વાહન ચાલકોને હવે રાહત મળશે.
Mehsana: પાટીદાર પ્લાઝા નજીકનો ખાડો અંતે પુરાયો, વાહનચાલકોને મળશે રાહત
મહેસાણા: ધરોઈ ડેમમાં 51.01% પાણી, 414.76 MCM જથ્થો, ઉનાળુ પિયત માટે પૂરતું
ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ સિંચાઈ યોજનામાં હાલ 51.01% પાણીનો જથ્થો, એટલે કે 414.76 MCM પાણી બચ્યું છે. સિંચાઈ માટે નહેરમાં 150 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે, જેનાથી ઉનાળુ વાવેતર અને ઘાસચારાને પિયત મળી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદ ન હોવાથી પાણીની આવક બંધ છે. ગત ચોમાસામાં ડેમ છલકાયો હતો. વર્તમાન સપાટી 607.16 ફૂટ છે. જૂનની ગરમીમાં પણ ડેમ મહેસાણા અને પાટણ જિલ્લા માટે જીવનરેખા બની રહ્યો છે, પીવાના પાણીની અછત નહીં સર્જાય.
મહેસાણા: ધરોઈ ડેમમાં 51.01% પાણી, 414.76 MCM જથ્થો, ઉનાળુ પિયત માટે પૂરતું
ચાણસ્માના મીઠીઘારીયાલ ગામે બસ સ્ટેશન પાસે સ્પીડ બ્રેકર મુકવા માટે ગ્રામ પંચાયતની રજુઆત
ચાણસ્મા તાલુકાના મીઠીઘારીયાલ ગામે વાહન અકસ્માતો અટકાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગ, પાટણ કચેરીમાં લેખિત રજુઆત કરવામાં આવી છે. મીઠીઘારીયાલ ગામથી આશરે 25 થી વધુ ગામોનો એસ.ટી. વ્યવહાર જોડાયેલો છે, અને ખાનગી વાહનો તથા ભારે લોડિંગ ટ્રકો પણ અહીંથી પસાર થાય છે. ગામના બસ સ્ટેશન પાસે મુખ્ય પ્રવેશદ્વાર, દૂધ મંડળી, આરોગ્ય સબ સેન્ટર, પ્રાથમિક શાળા અને ધાર્મિક સ્થળો આવેલા હોવાથી લોકોની ભારે અવરજવર રહે છે. અગાઉ શાળાના બાળકો સહિત અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, તેથી તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવા માંગણી કરાઈ છે.
ચાણસ્માના મીઠીઘારીયાલ ગામે બસ સ્ટેશન પાસે સ્પીડ બ્રેકર મુકવા માટે ગ્રામ પંચાયતની રજુઆત
પાટણ: બાસ્પા ગામમાં પૈસા બાબતે યુવકને પિતા-પુત્રએ ફટકાર્યો, ફરિયાદ નોંધાઈ
સમી તાલુકાના બાસ્પા ગામમાં પૈસા આપી દીધા હોવા છતાં ઉઘરાણી કરી અપશબ્દો બોલવા અને લાકડી-ગડદાપાટુનો માર મારવાનો આરોપ મુકાયો છે. સાહીલખાન સિકંદરખાન બલોચે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગામના હેંગાભાઈ વસ્તાભાઈ ભરવાડ અને તેમના પુત્ર પ્રવિણ હેંગાભાઈ ભરવાડે પૈસા માંગ્યા હતા, અને યુવકે પૈસા આપી દીધા હોવાનું કહેતા ઉશ્કેરાઈને માર માર્યો હતો. યુવકને સારવાર બાદ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પાટણ: બાસ્પા ગામમાં પૈસા બાબતે યુવકને પિતા-પુત્રએ ફટકાર્યો, ફરિયાદ નોંધાઈ
નર્મદા: ઉષાબેન વસાવાનું ગુજરાત આદિ ગૌરવ ઍવોર્ડથી બહુમાન
ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત જનજાતિય ગરિમા ઉત્સવ-2026 નિમિત્તે ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા ગુજરાત આદિ ગૌરવ સન્માન સમારોહ યોજાયો. જેમાં સાગબારા તાલુકાના પાંચ પિપરી ગામના ઉષાબેન દિનેશભાઇ વસાવાનું ખેતી ક્ષેત્રે 15 વર્ષના નોંધપાત્ર કાર્ય અને આદિવાસી મહિલાઓના સશક્તિકરણ માટે કરેલા અભૂતપૂર્વ પ્રયાસો બદલ ગુજરાત આદિ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાયા.
નર્મદા: ઉષાબેન વસાવાનું ગુજરાત આદિ ગૌરવ ઍવોર્ડથી બહુમાન
પાટણમાં વન્યજીવો માટે હવાડા તૈયાર, પણ પાણી વિના તરસ્યા: વન વિભાગની ઢીલી નીતિ?
પાટણના સાંતલપુર તાલુકાના પીપરાળામાં વન્યજીવોને પીવાનું પાણી મળી રહે તે હેતુથી વન વિભાગ દ્વારા ચાર હવાડા અને કુંડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, હવાડાઓ હજુ સુધી ભરવામાં આવ્યા નથી, જેના કારણે તે શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. ૧૫ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વન વિભાગ અધૂરી કામગીરીનું કારણ આપી વિલંબ કરી રહ્યું છે. કાળઝાળ ગરમીમાં પાણી વિના રઝળતા પશુઓ માટે આ પરિસ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે.
પાટણમાં વન્યજીવો માટે હવાડા તૈયાર, પણ પાણી વિના તરસ્યા: વન વિભાગની ઢીલી નીતિ?
વાહન વગર દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે : પ્રતિબંધો લાગુ
- કેરબા, કન્ટેનરો કે ટિપણામાં ડીઝલ નહીં આપી શકાય - ઇન્ડસ્ટ્રિયલ, કમર્શિયલ અને ઇન્સ્ટિટયૂશનલ ગ્રાહકો હવે રિટેલ પમ્પો પરથી ડીઝલની ખરીદી નહીં કરી શકે- જથ્થાબંધ ખરીદીને પગલે અછત ઉભી થતા 90 દિવસ માટે આ પ્રતિબંધો લાગુ કરાયાનવી દિલ્હી : વિશ્વના મોટાભાગના દેશો માટે મહત્વપૂર્ણ વેપાર માર્ગ હોર્મુઝની ખાડીએ સંકટ વધી રહ્યું છે. એવામાં ભારતમાં પણ આ સંકટની અસરો જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે દેશભરમાં ડીઝલની ખરીદી પર લિમિટ લાગુ કરી દીધી છે.
વાહન વગર દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે : પ્રતિબંધો લાગુ
ફુગાવો વધીને 3.94 ટકા મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા
ખાડી યુદ્ધ અને અલ નીનો આગામી સમયમાં અર્થતંત્ર પર વધુ વિપરીત અસર પાડશે- પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવવધારાના કારણે અનાજ, ફળો, ખાદ્યતેલ, શાકભાજીથી માંડીને શેમ્પુ સુધીની ચીજો પણ મોંઘી થઈ- રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કર્યોનવી દિલ્હી : દેશમાં કાળઝાળ ગરમીની સાથે-સાથે હવે મોંઘવારી પણ માઝા મૂકી રહી છે.
ફુગાવો વધીને 3.94 ટકા મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા
વલસાડ સાયબર ફ્રોડ: 38 લાખની ઠગાઈનો ઝારખંડનો આરોપી ઝડપાયો
વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ લોકોના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને કુલ રૂ.39.68 લાખ ટ્રાન્સફર કરી ઠગાઈ કરનાર મૂળ ઝારખંડના અને હાલ વાપીમાં રહેતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ક્રેડિટ-ડેબિટ કાર્ડ, મોબાઇલ અને બેંક ચેકબુક મળી આવી હતી. આ આરોપીએ પોતાના અને મિત્રો-સંબંધીઓના બેંક એકાઉન્ટમાં નાણાં મેળવી તેને સગેવગે કર્યા હતા. દેશભરમાં 16 ફરિયાદોમાં કુલ રૂ. 38.68 લાખનું ટ્રાન્ઝેક્શન થયું હતું.
વલસાડ સાયબર ફ્રોડ: 38 લાખની ઠગાઈનો ઝારખંડનો આરોપી ઝડપાયો
ધારીમાં બેફામ નશાખોરો સામે પોલીસવડાને રજૂઆત, ધારાસભ્ય પણ મેદાનમાં.
જિલ્લામાં દેશી-વિદેશી દારૂના ખુલ્લેઆમ વેચાણને કારણે નશાખોરો બેફામ બન્યા છે. ધારીમાં બે ખેડૂતો પર છ અસામાજિક તત્વો દ્વારા થયેલા ખુની હુમલા બાદ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે ભાજપના વર્તમાન ધારાસભ્ય જે.વી.કાકડીયા, તેમજ પૂર્વ ધારાસભ્યો નલીનભાઈ કોટડીયા અને મનસુખભાઈ ભુવાએ જિલ્લા પોલીસવડા સમક્ષ તાત્કાલિક દારૂના હાટડા બંધ કરાવવા અને કડક પગલાં લેવાની માંગ કરી છે. આ ઘટનાઓએ ફરી એકવાર દારૂબંધીના અમલ પર પ્રશ્નો ઉભા કર્યા છે.
ધારીમાં બેફામ નશાખોરો સામે પોલીસવડાને રજૂઆત, ધારાસભ્ય પણ મેદાનમાં.
અમરેલીમાં જવેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક શખ્સની ધરપકડ
અમરેલીમાં ચિંતન જવેલર્સમાંથી દાગીનાની ચોરીના ગુનામાં પોલીસે એક શખ્સને મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડ્યો છે. સોયેબ અબ્દુલ હમીદ દેશમુખ નામના આરોપીએ તેની બે મહિલા સાગરિતો સુમૈયા અફસર શેખ અને રજીયા યાસીન શેખ સાથે મળીને આ ચોરી કરી હતી. મહિલાઓએ દાગીના ખરીદવાના બહાને દુકાનદારનું ધ્યાન ભટકાવ્યું હતું, જ્યારે સોયેબ બહાર નજર રાખી રહ્યો હતો. આ ચોરીમાં કુલ રૂ. 3.35 લાખના દાગીના ગયા હતા, જેમાંથી પોલીસે રૂ. 3 હજાર રોકડા અને મોબાઇલ ફોન સહિત રૂ. 13 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
અમરેલીમાં જવેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક શખ્સની ધરપકડ
અમરેલીમાં PM સ્વનિધિ મહોત્સવ: 15 લાભાર્થીઓને લોનના ચેક અને ક્રેડિટ કાર્ડ અપાયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસનની ઉજવણી નિમિત્તે અમરેલી નગરપાલિકા ખાતે PM સ્વનિધિ યોજના હેઠળ સ્વનિધિ મહોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં 15 લાભાર્થીઓને સ્થળ પર જ લોનના ચેક, બે લાભાર્થીઓને ક્રેડિટ કાર્ડ, ફેરિયાઓને પરિચય બોર્ડ અને નવા લાભાર્થીઓ માટે લોન અને ક્રેડિટ કાર્ડના અરજીપત્રોનું વિતરણ કરાયું. ડિજિટલ પેમેન્ટ માટે મર્ચન્ટ ક્યુઆર કોડ પણ અપાયા. અમરેલી નગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી 3,058 શહેરી ફેરિયાઓને કુલ 7.83 કરોડની ટર્મ લોન અપાઈ છે.
અમરેલીમાં PM સ્વનિધિ મહોત્સવ: 15 લાભાર્થીઓને લોનના ચેક અને ક્રેડિટ કાર્ડ અપાયા
અમરેલી LCB દ્વારા મંદિરોમાં ચોરી કરતા બે આરોપીઓ ઝડપાયા, 51,425નો મુદ્દામાલ કબજે
અમરેલી જિલ્લા LCB પોલીસે મંદિરોને નિશાન બનાવતા બે ચોરને દબોચી લીધા છે. આરોપીઓ પાસેથી રોકડ, ચોરીમાં વપરાયેલ બાઇક અને અન્ય સાધનો સહિત કુલ 51,425 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. પૂછપરછમાં, તેઓએ અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં થયેલી ચાર ચોરીઓ અને ચોરીના નિષ્ફળ પ્રયાસોની કબૂલાત કરી છે. આ ગુનાઓ ઉકેલવા માટે LCB ટીમ સક્રિય તપાસ કરી રહી હતી. LCB PI સી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી હિરેન ધીરૂભાઈ માલવી અને મહેબુબ ઉર્ફે લાંબો ઇકબાલભાઈ વાઘેલાને ઝડપી પાડવામાં આવ્યા.