નિર્દોષ છૂટેલા આરોપીઓના કેસોમાં સરકારી વકીલ અને પોલીસ સામે તપાસ થશે
નિર્દોષ છૂટેલા આરોપીઓના કેસોમાં સરકારી વકીલ અને પોલીસ સામે તપાસ થશે
Published on: 01st July, 2026

ફોજદારી કેસોમાં આરોપી નિર્દોષ છૂટે તો તપાસ કરનાર પોલીસ અધિકારી અને પબ્લિક પ્રોસિક્યુટરની ભૂલ કે ક્ષતિની તપાસ માટે રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ આર. પટેલની અધ્યક્ષતામાં એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખી આ સમિતિ આરોપી નિર્દોષ છૂટવાના કેસોનું બારીકાઈથી મૂલ્યાંકન કરશે. જો અધિકારીઓની ગંભીર બેદરકારી જણાઈ તો નિયમો અનુસાર પગલાં લેવા ભલામણ કરાશે.