MSU માં ABVP અને NSUIના નેતાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી
વડોદરા MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં આજે ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે છુટા અને મારામારી થતા દોડધામ મચી ગઈ હતી. વિધાર્થી આલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે સાયન્સ ફેકલ્ટીમાં NSUI અને ABVPના બે જૂથ વચ્ચે પહેલેથી અદાવત છે. આજે એકબીજાની સામે જોવાની નજીવી બાબતમાં બે જૂથના નેતાઓ આમને સામને આવી ગયા હતા. જોતજોતામાં બંને જૂથ વચ્ચે મારામારી શરૂ થઈ જતા ફેકલ્ટીમાં દોડધામ મચી ગઈ હતી. અન્ય વિદ્યાર્થીઓએ તેમને છૂટા પાડ્યા હતા. જોકે રાબેતા મુજબ સિક્યુરિટી ગાયબ હતી.
MSU માં ABVP અને NSUIના નેતાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી
સુરત DCP રાજદીપસિંહ નકુમનો વધુ એક વિવાદ: આરોપીઓને જાહેરમાં ફટકાર્યા
સુરત DCP રાજદીપસિંહ નકુમ ફરી એકવાર ચર્ચામાં છે. સલાબતપુરા વિસ્તારમાં હત્યાના પ્રયાસના આરોપીઓને કોર્ટ અને DGPના નિયમોને અવગણી જાહેરમાં માર મારવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં DCP નકુમની કાર્યશૈલી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. પોલીસ કાયદાના રક્ષક હોવા છતાં જાતે કાયદો હાથમાં લઈને ન્યાય આપી રહ્યા છે, જે સુપ્રીમ કોર્ટ અને DGPના આદેશોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ ઘટના 'ખેડા ફ્લોગિંગ કેસ'ની યાદ અપાવે છે, જ્યાં આવા કૃત્ય બદલ પોલીસકર્મીઓને સજા થઈ હતી.
સુરત DCP રાજદીપસિંહ નકુમનો વધુ એક વિવાદ: આરોપીઓને જાહેરમાં ફટકાર્યા
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ
ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો ભય ફેલાયો છે. છેલ્લા 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં 7 પોઝિટિવ અને 3 દર્દીઓના મોત થયા છે. 20 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 9ના રિપોર્ટ બાકી છે. આરોગ્ય વિભાગ અને IMA દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, દવાનો છંટકાવ અને જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. 'સેન્ડફ્લાય' દ્વારા ફેલાતા આ વાયરસથી બચવા ઘર અને આસપાસની સ્વચ્છતા જાળવવી, તાવ, ઉલટી કે બેભાન અવસ્થામાં તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ
ત્રણ પોલીસકર્મી દારૂ કેસમાં મોબાઇલ પરત આપવા લાંચ લેતા ઝડપાયા
ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓ દારૂના કેસના આરોપીનો મોબાઇલ પરત આપવા માટે રૂપિયા ૧ લાખની લાંચ લેતા એસીબી (ACB) દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા કેસ બાદ આરોપીનો મોબાઇલ પરત આપવા માટે ASI અનિરુદ્ધ વલકુભાઈ ધાંધલ અને હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ સુખદેવસિંહ પરમોરે ૩ લાખની માંગણી કરી હતી. આખરે ૧ લાખના ત્રણ હપ્તા નક્કી થયા હતા. આરોપીની ફરિયાદ બાદ LRD કોન્સ્ટેબલ સાગર કરણભાઈ ચાવડાએ પ્રથમ હપ્તો સ્વીકારતા ત્રણેયને ACBએ પકડી પાડ્યા.
ત્રણ પોલીસકર્મી દારૂ કેસમાં મોબાઇલ પરત આપવા લાંચ લેતા ઝડપાયા
કોમેડિયન સમય રૈનાને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
કોમેડિયન સમય રૈનાની મુશ્કેલીઓ વધી છે. સુપ્રીમ કોર્ટે અગાઉના આદેશોનું પાલન ન કરવા અને કોર્ટને ગેરમાર્ગે દોરવાના આરોપમાં સમય રૈના પર 3 લાખ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે, સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) થી પીડિત લોકોની મજાક ઉડાવવાના કેસમાં સમય રૈનાએ જાણીજોઈને કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કર્યું છે. સુપ્રીમ કોર્ટે 2 અઠવાડિયામાં દંડની રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
કોમેડિયન સમય રૈનાને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
પતિ પત્ની અને પુત્રીને શોધતો રહ્યો, પોલીસે બાંગ્લાદેશ મોકલી દેતા હાઈકોર્ટમાં ખુલાસો
ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી હેબિયસ કોર્પસ અરજી દરમિયાન મોટો ખુલાસો થયો. અરજદારની પત્ની અને પુત્રીને ડિટેન્શન સેન્ટરમાં નહીં, પરંતુ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને બાંગ્લાદેશ પરત મોકલી દેવાયા છે. અરજદારના વકીલે દલીલ કરી હતી કે પોલીસ અધિકારીઓ અરજદારના પરિવારને લઈ ગયા હતા, જેમાં પત્ની અને સાત વર્ષની પુત્રીને ગેરકાયદે રીતે અટકાયતમાં રખાયાનો આક્ષેપ હતો. બંને બાંગ્લાદેશી નાગરિક હોવાથી, કાયદેસરની કાર્યવાહી કરીને 11 જુલાઈ, 2024ના રોજ તેમને બાંગ્લાદેશ મોકલી દેવાયા હતા.
પતિ પત્ની અને પુત્રીને શોધતો રહ્યો, પોલીસે બાંગ્લાદેશ મોકલી દેતા હાઈકોર્ટમાં ખુલાસો
E20 પેટ્રોલ વિવાદ: કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર
આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે E20 પેટ્રોલના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે દેશના દરેક પેટ્રોલ પંપ પર E20 પેટ્રોલ અને સામાન્ય પેટ્રોલ બંને વિકલ્પો ઉપલબ્ધ કરાવવાની તેમજ E20 પેટ્રોલના ભાવ સામાન્ય પેટ્રોલ કરતા ઓછા રાખવાની માગણી કરી છે. આ મુદ્દે જનતા તરફથી StopE20petrol.com દ્વારા વડાપ્રધાનના નામે એક ઓનલાઈન પિટિશન પણ શરૂ કરવામાં આવી છે, જેમાં નાગરિકો પોતાના મંતવ્યો આપી શકે છે. આ પહેલાં પણ કેજરીવાલે વાહન ઉત્પાદક કંપનીઓને E20 પેટ્રોલ સુસંગતતા અંગે પત્ર લખ્યો હતો.
E20 પેટ્રોલ વિવાદ: કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર
નીતિન ગડકરી અને ઈથેનોલ અંગે ભ્રામક બોલવું ભારે પડયું
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ટોયોટા અને ઈથેનોલ પ્રોજેક્ટ અંગે સોશિયલ મીડિયા પર કથિત ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવાના આરોપમાં નાગપુર સાયબર પોલીસે ચાર ઈન્ફ્લુએન્સર્સ સામે FIR નોંધી છે. ફરિયાદમાં યુટ્યુબર મનીષ કશ્યપ તેમજ ‘દેશી બોયઝ’, હર્ષિત રાઠી અને અંકલેશ ઈનવાતેના એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે. આરોપ છે કે પુરાવા વગરના દાવાઓથી લોકોમાં ભ્રમ અને સરકારની છબી ખરડાવવાનો પ્રયાસ થયો. પોલીસે વાયરલ વીડિયો અને પોસ્ટની સત્યતા તથા તેની સામાજિક અસર અંગે તપાસ શરૂ કરી છે.
નીતિન ગડકરી અને ઈથેનોલ અંગે ભ્રામક બોલવું ભારે પડયું
પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટીના નેટવર્ક પર ATSનો સકંજો
પાકિસ્તાનમાં સ્થિત ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટીના કથિત નેટવર્કની તપાસ મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા વધુ તેજ કરવામાં આવી છે. પુણે જિલ્લામાં ATSએ મોટી કાર્યવાહી હાથ ધરી ૬૬ લોકોની પૂછપરછ કરી. આ કાર્યવાહી પુણે શહેર, ગ્રામીણ પોલીસ અને પિંપરી-ચિંચવડ પોલીસની મદદથી થઈ રહી છે. ATS માને છે કે આ લોકો શહેઝાદ ભટ્ટીના સંપર્કમાં હતા. આ પહેલાં પણ રાજ્યભરમાં ૧૧૨ લોકોની ઓળખ થઈ હતી, જેમના પાકિસ્તાની ગેંગસ્ટર સાથે સંપર્ક હોવાની આશંકા છે. શહેઝાદ ભટ્ટી યુવાનોને સોશિયલ મીડિયા દ્વારા દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરતો હોવાની આશંકા છે. આ ઉપરાંત, શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની પણ તપાસ થઈ રહી છે.
પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટીના નેટવર્ક પર ATSનો સકંજો
ગુલશન કુમાર હત્યા કેસ: ૨૯ વર્ષ બાદ અનુરાધા પૌડવાલે નદીમ સૈફી પર તોડ્યુ મૌન
૧૯૯૭માં ટી-સિરીઝના સંસ્થાપક ગુલશન કુમારની હત્યામાં સંગીતકાર નદીમ સૈફીનું નામ સામે આવ્યું હતું, જેના કારણે તેમની કારકિર્દી પર અસર પડી અને તેઓ દેશ છોડીને ભાગી ગયા. હવે ૨૯ વર્ષ બાદ, અનુરાધા પૌંડવાલે આ મામલે પ્રતિક્રિયા આપી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું નદીમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું કે તેમને આ વિશે કોઈ જાણકારી નથી કારણ કે ગુલશન કુમારે ક્યારેય આ બાબતે ચર્ચા કરી ન હતી. અનુરાધાએ હંમેશા પોતાની જાતને નકારાત્મકતાથી દૂર રાખી છે અને તેઓ લોકોની વાતોથી પ્રભાવિત થતા નથી.
ગુલશન કુમાર હત્યા કેસ: ૨૯ વર્ષ બાદ અનુરાધા પૌડવાલે નદીમ સૈફી પર તોડ્યુ મૌન
અંકિત શર્મા હત્યા કેસ: કોર્ટ ચુકાદા બાદ AAP પર BJPના ગંભીર પ્રહાર
વર્ષ 2020ના દિલ્હી રમખાણો દરમિયાન IB અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં AAP ના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન સહિત પાંચ આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે. આ ચુકાદા બાદ ભાજપે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યું કે, તાહિર હુસૈનને અરવિંદ કેજરીવાલનું રાજકીય સંરક્ષણ પ્રાપ્ત હતું અને કેજરીવાલ જ તાહિર હુસૈનના અસલી આકા છે. તેમણે કેજરીવાલને આ હત્યાકાંડના સહ-આરોપી ગણાવ્યા. કોર્ટે જણાવ્યું કે, અંકિત શર્માની હત્યા માત્ર હિન્દુ હોવાને કારણે કરવામાં આવી હતી.
અંકિત શર્મા હત્યા કેસ: કોર્ટ ચુકાદા બાદ AAP પર BJPના ગંભીર પ્રહાર
રિક્ષાને દારૂનો અડ્ડો બનાવનાર બુટલેગર વીડિયો વાયરલ થતાં અમદાવાદ પોલીસ 'ભાન'માં આવી
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રોડની કિનારે રિક્ષામાં બેફામ દારૂનું વેચાણ કરનાર બુટલેગરનો વીડિયો વાયરલ થતાં સ્થાનિક પોલીસ સફાળી જાગી છે. આ ઘટનાએ પોલીસની કામગીરી અને નિષ્ઠા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ચોવીસ કલાક પેટ્રોલિંગના દાવા કરતી પોલીસને આ ખુલ્લેઆમ વેચાણની ભણક કેમ ન લાગી? ઉચ્ચ અધિકારીઓના દબાણ બાદ પોલીસે 33 વર્ષીય પ્રતાપભાઈ ગોપાલભાઈ સોનીને રિક્ષા અને દારૂ સાથે ઝડપી પાડ્યો. આ કાર્યવાહી સ્વયંભૂ થવાને બદલે 'ઉપરથી દબાણ' બાદ કેમ થઈ તે ચર્ચાનો વિષય બન્યો છે.
રિક્ષાને દારૂનો અડ્ડો બનાવનાર બુટલેગર વીડિયો વાયરલ થતાં અમદાવાદ પોલીસ 'ભાન'માં આવી
અમરેલીના રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આગમનથી લોકોમાં ફફડાટ
અમરેલી જિલ્લામાં સિંહોનો ભય સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સિંહો દ્વારા માનવો પર થયેલા હુમલાની ઘટનાઓ બાદ હવે લોકોમાં ચિંતા પ્રસરી છે. ગત રાત્રે રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામે શિકારની શોધમાં ત્રણ સિંહો આવ્યા હતા. આ ઘટના ગામના CCTV કેમેરામાં કેદ થઈ હતી. સિંહોએ એક શ્વાન અને આખલાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ શ્વાન ભાગી છૂટ્યો. આ દ્રશ્યો જોઈને ગામલોકોમાં ભયનો માહોલ છે અને વનવિભાગ પાસે નાઈટ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી રહ્યા છે.
અમરેલીના રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આગમનથી લોકોમાં ફફડાટ
ગુજરાતના આ 11 જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાઉ કાસ્ટ જાહેર કરતાં ગુજરાતના 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દાહોદ, પંચમહાલ, મહીસાગર, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, મોરબી અને જામનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, સાથે પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે. લોકોને સાવચેતી રાખવાની અને વીજળી પડે ત્યારે સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ અપાઈ છે.
ગુજરાતના આ 11 જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
મોરબીમાં વીજલાઈન વળતર મુદ્દે 25000 ખેડૂતોની પદયાત્રા
મોરબી જિલ્લામાં વીજલાઈન વળતર મુદ્દે ખેડૂતોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. 'સત્યાગ્રહ પાર્ટ-3' અંતર્ગત, 365 ગામ પંચાયતોના 25,000 થી વધુ ખેડૂતો અને મહિલાઓએ મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા યોજી સરકારના નવા પરિપત્રનો વિરોધ કર્યો. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે ટ્રાન્સમિશન લાઈનોના વળતર અંગે ઈલેક્ટ્રિસિટી એક્ટ 2003 અને ટેલિગ્રાફ એક્ટ 1885ની જોગવાઈઓ હેઠળ 'ઓછામાં ઓછું નુકસાન અને પૂરેપૂરું વળતર'ના સિદ્ધાંત મુજબ ઠરાવમાં સુધારા કરવામાં આવે. જ્યાં સુધી આ સુધારા નહીં થાય ત્યાં સુધી નવા ઠરાવનો અમલ ન કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
મોરબીમાં વીજલાઈન વળતર મુદ્દે 25000 ખેડૂતોની પદયાત્રા
અંબાલાલ પટેલની ચોમાસુ આગાહી: ગુજરાતમાં 15 જુલાઈથી હવામાન પલટો
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્ય માટે ચોમાસાની નવી આગાહી કરી છે. તેમના મતે, 15 જુલાઈ આસપાસ હવામાનમાં પલટો આવવાના સંકેત છે અને 20 જુલાઈ સુધી રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. રથયાત્રાના દિવસે પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 22 જુલાઈથી ચોમાસું તેની અસર જમાવશે અને 30 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છ, મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની ચોમાસુ આગાહી: ગુજરાતમાં 15 જુલાઈથી હવામાન પલટો
ચારા કૌભાંડ: લાલુ યાદવની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
ચારા કૌભાંડ કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની જામીન રદ કરવાની અરજી ફગાવી દીધી છે, જેના પગલે તેમના જામીન યથાવત્ રહેશે. 2018માં દોષિત ઠેરવાયા બાદ હાઇકોર્ટમાં પેન્ડિંગ અપીલને કારણે 2021માં તેમને જામીન મળ્યા હતા. ED ની માંગણી ફગાવી સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે લાંબા સમયથી ચાલી રહેલા જામીન મામલે હવે દખલગીરી યોગ્ય નથી. આ સાથે, હાઇકોર્ટને 6 મહિનામાં અપીલ પર સુનાવણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.
ચારા કૌભાંડ: લાલુ યાદવની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
સેન્ટ્રલ યુનિવર્સિટીમાં હેલ્થ, સ્પોર્ટ્સ અને હોસ્ટેલ સુવિધા વધારવા વિદ્યાર્થીઓનું પ્રદર્શન.
વડોદરા નજીક કુંઢેલા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીમાં હેલ્થ સેન્ટર-સ્પોર્ટ્સની સુવિધા વધારવા અને હોસ્ટેલમાં સાફ-સફાઈની માગણી સાથે વિદ્યાર્થીઓ સોમવાર રાતથી ધરણા પર બેઠા હતા. આજે સવારે તેમણે યુનિવર્સિટીનો મુખ્ય ગેટ બંધ રાખતા બહારથી આવતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો અટવાયા હતા. પ્રોવોસ્ટ અને અધ્યાપકોની દરમિયાનગીરી વખતે ધક્કામુક્કી અને ઝપાઝપી થઈ હતી. એબીવીપીના જણાવ્યા મુજબ, આ ઘટનામાં બે વિદ્યાર્થીઓને ઈજા પણ થઈ હતી. વારંવાર રજૂઆત છતાં સમસ્યાઓનો ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓએ ધરણાનું શસ્ત્ર ઉઠાવ્યું.
સેન્ટ્રલ યુનિવર્સિટીમાં હેલ્થ, સ્પોર્ટ્સ અને હોસ્ટેલ સુવિધા વધારવા વિદ્યાર્થીઓનું પ્રદર્શન.
અમદાવાદ રથયાત્રા: 35 ડ્રોન અને GPS થી ત્રણેય રથનું લાઈવ મોનિટરિંગ
અમદાવાદમાં 16મી જુલાઈના રોજ યોજાનારી 149મી જગન્નાથજી રથયાત્રા માટે સુરક્ષાના અભેદ્ય કવચની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે, સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે. ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામના રથ ખેંચનારા ખલાસીઓનું 'આધાર ઇનેબલ એપ' દ્વારા વેરિફિકેશન કરીને બારકોડવાળા ઓળખપત્ર આપવામાં આવશે. 35 ડ્રોન અને GPS સિસ્ટમ દ્વારા ત્રણેય રથોનું લાઈવ મોનિટરિંગ થશે. સાથે જ, પુશીંગ સ્ક્વોર્ડ દ્વારા રથની આસપાસ સુરક્ષા કોર્ડનિંગ કરાશે અને ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં પોલીસ કાફલો સતત રથ સાથે રહેશે.
અમદાવાદ રથયાત્રા: 35 ડ્રોન અને GPS થી ત્રણેય રથનું લાઈવ મોનિટરિંગ
ઝીનત અમાનની સોનમ વાંગચુક માટે સરકારને વિનંતી
બોલિવૂડ અભિનેત્રી ઝીનત અમાન લદાખના પર્યાવરણ અને લોકોના અધિકારો માટે ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકના સમર્થનમાં આગળ આવી છે. '3 ઈડિયટ્સ' ફેમ ઓમી વૈદ્ય બાદ ઝીનત અમાને પણ સોનમ વાંગચુકની લડતને ટેકો આપ્યો છે. તેમણે કેન્દ્ર સરકારને મધ્યસ્થી કરવા અને વાતચીત શરૂ કરવા વિનંતી કરી છે. ઝીનત અમાનના જણાવ્યા મુજબ, સોનમ વાંગચુક દેશના ભવિષ્ય માટે લડી રહ્યા છે અને તેમનું સ્વાસ્થ્ય ચિંતાજનક રીતે બગડી રહ્યું છે. આ કોઈ રાજકીય લડાઈ નથી, પરંતુ કુદરતી સંસાધનો અને માનવીય અધિકારોની રક્ષાનો મામલો છે.
ઝીનત અમાનની સોનમ વાંગચુક માટે સરકારને વિનંતી
સોનમ વાંગચુકનું વજન 8 કિલો ઘટ્યું, કેજરીવાલ-અખિલેશની ઉપવાસ તોડવાની અપીલ
દિલ્હીના જંતર-મંતર ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલી ભૂખ હડતાલમાં સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનું 16 દિવસમાં 8 કિલો વજન ઘટતાં વિપક્ષી નેતાઓ ચિંતિત છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે વાંગચુકને અનશન સમાપ્ત કરવાની અપીલ કરી છે અને પરીક્ષા પ્રણાલીમાં સુધારાની માંગને સમર્થન આપ્યું છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પણ વાંગચુકને ઉપવાસ તોડવા વિનંતી કરી ભાજપ સરકારની સંવેદનહીનતા પર પ્રહારો કર્યા છે. વાંગચુકે આ મુદ્દાને દેશનો વિષય ગણાવી તમામ નેતાઓને સાથે આવવા આહ્વાન કર્યું છે.
સોનમ વાંગચુકનું વજન 8 કિલો ઘટ્યું, કેજરીવાલ-અખિલેશની ઉપવાસ તોડવાની અપીલ
ગુજરાતના 3 શહેરો કમાણી-ખર્ચમાં દિલ્હી-મુંબઈને પાછળ છોડી દેશમાં અવ્વલ
CNBC Awaaz ના વિશ્લેષણ મુજબ, ગુજરાતના ત્રણ શહેરો કમાણી અને ખર્ચ બંને મામલે દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોને પણ ટક્કર આપી રહ્યા છે. આ શહેરો દેશના ટોપ-10માં સ્થાન પામ્યા છે, જે રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે. વડોદરા સરેરાશ ₹17.3 લાખની આવક સાથે ત્રીજા અને સુરત ₹15.5 લાખની આવક સાથે પાંચમા ક્રમે છે. આ રિપોર્ટ હાઉસહોલ્ડ સ્પેન્ડિંગમાં પણ નાના શહેરોની પ્રગતિ દર્શાવે છે.
ગુજરાતના 3 શહેરો કમાણી-ખર્ચમાં દિલ્હી-મુંબઈને પાછળ છોડી દેશમાં અવ્વલ
સૌરાષ્ટ્ર-કચ્છને ઘરઆંગણે ન્યાય: હાઇકોર્ટ બેંચ માટે વકીલોનું મહાઆંદોલન
સૌરાષ્ટ્ર અને કચ્છના લાખો પક્ષકારોને ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે રાજકોટ ખાતે ગુજરાત હાઇકોર્ટની બેંચ સ્થાપવા વકીલોએ ફરી એકવાર આંદોલનનું રણશિંગુ ફુક્યું છે. આ મામલે આગામી 25મી તારીખે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ બાર એસોસિએશનના પ્રતિનિધિઓની મહાબેઠકનું આયોજન કરાયું છે. જેમાં આગામી આંદોલનની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેશ પટેલે જણાવ્યું કે, રાજકોટમાં હાઇકોર્ટ બેંચ કાર્યરત થાય તો કચ્છ, પોરબંદર જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા પક્ષકારોનો સમય, શક્તિ અને નાણાંનો વ્યય થતો અટકશે.
સૌરાષ્ટ્ર-કચ્છને ઘરઆંગણે ન્યાય: હાઇકોર્ટ બેંચ માટે વકીલોનું મહાઆંદોલન
બે ગેરકાયદે પિસ્ટલ સાથે રાજકોટના કેફેના માલિકની ધરપકડ
રાજકોટ શહેર PCB ટીમે ગેરકાયદેસર હથિયારોના મોટા વેપારનો પર્દાફાશ કર્યો છે. મધ્યપ્રદેશના સપ્લાયર સકીલ મનસુરી સહિત પાંચ શખ્સોની ધરપકડ બાદ, ન્યારી ડેમ નજીક વેનીલા કેફેના માલિક સંદીપસિંહ પરમારની બે ગેરકાયદે પિસ્ટલ સાથે ધરપકડ કરવામાં આવી છે. સપ્લાયરે આ હથિયારો પ્રદીપ કરપડાને એક-એક લાખ રૂપિયામાં વેચ્યા હતા, જેણે બાદમાં સંદીપસિંહને રોફ જમાવવા માટે વેચ્યા હતા. આ ઘટના રથયાત્રા અને અષાઢી બીજ પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવાના પોલીસના પ્રયાસો હેઠળ બની છે.
બે ગેરકાયદે પિસ્ટલ સાથે રાજકોટના કેફેના માલિકની ધરપકડ
પૂર્વ ગૃહ મંત્રાલય અધિકારીનો ખુલાસો: શોએબ અખ્તર અને આસિફ ડ્રગ્સ સાથે આવતા હતા
ભારત સરકારના ગૃહ મંત્રાલયના પૂર્વ અંડર સેક્રેટરી આરવીએસ મણિએ પાકિસ્તાની ક્રિકેટ ડેલિગેશનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ જેવા ખેલાડીઓ તથા અન્ય પાકિસ્તાની ડેલિગેશન ભારતમાં પ્રવેશ કરતી વખતે ડ્રગ્સનો જથ્થો લાવતા હતા. આ ડ્રગ્સ ટ્રાફિકિંગમાં ISIનો પણ હાથ હોવાનું તેમણે જણાવ્યું. આતંકવાદના ફંડિંગનો 30% હિસ્સો ડ્રગ્સ ટ્રાફિકિંગમાંથી આવતો હોવાનું પણ તેમણે કહ્યું. તેમણે કહ્યું કે આ અંગત વપરાશ માટે નહોતું, પરંતુ ડ્રગ્સ ટ્રાફિકિંગ એક સરકારી નીતિ હતી.
પૂર્વ ગૃહ મંત્રાલય અધિકારીનો ખુલાસો: શોએબ અખ્તર અને આસિફ ડ્રગ્સ સાથે આવતા હતા
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ‘નાઇ યુવા ગ્રુપ’ દ્વારા શરબત વિતરણની સેવા
અષાઢી બીજના પવિત્ર અવસરે રાજકોટ શહેરમાં ભવ્ય જગન્નાથજી રથયાત્રા યોજાશે, જેમાં ‘નાઇ યુવા ગ્રુપ’ દ્વારા શરબત વિતરણની સેવા આપવામાં આવશે. હજારો ભક્તો અને આમ જનતાને ગરમીમાં રાહત મળે તે માટે ત્રિકોણ બાગ ચોક ખાતે સવારે 11:00 વાગ્યાથી શરબત વિતરણ શરૂ થશે. ગ્રુપના ઉત્સાહી યુવાનો રથયાત્રાના રૂટ પર ભક્તોને સેવા આપશે. આ સંસ્થા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તોની સુવિધા અને સેવા માટે આ નાનકડો પ્રયાસ કરી રહી છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ‘નાઇ યુવા ગ્રુપ’ દ્વારા શરબત વિતરણની સેવા
'3 ઈડિયટ્સ'નો 'ચતુર' મેદાને, 'ફુન્સુખ વાંગડુ'ને બચાવવા ભાવુક અપીલ
બોલિવૂડ ફિલ્મ '3 ઈડિયટ્સ'ના 'ચતુર રામલિંગમ' એટલે એક્ટર ઓમી વૈદ્યએ લદાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનું સમર્થન કર્યું છે. સોનમ વાંગચુક લદાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને પર્યાવરણ રક્ષણ માટે ભૂખ હડતાળ પર છે. તેમના બગડતા સ્વાસ્થ્ય વચ્ચે ઓમી વૈદ્યએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, "આપણે વાસ્તવિક જીવનના ફુન્સુખ વાંગડુને આ રીતે મરવા ન દઈ શકીએ." તેમણે લદાખના ભવિષ્ય અને ગ્લેશિયર્સને બચાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ઓમીની આ અપીલની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે.
'3 ઈડિયટ્સ'નો 'ચતુર' મેદાને, 'ફુન્સુખ વાંગડુ'ને બચાવવા ભાવુક અપીલ
પહલગામ હુમલા કેસમાં હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર
જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા મામલે NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સીએ આતંકી હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. હાફિઝ સઈદ, જે 2008ના મુંબઈ હુમલાનો પણ માસ્ટરમાઈન્ડ ગણાય છે, તેની સામે લશ્કર-એ-તૈયબાના વડા તરીકે આ વોરંટ જારી કરાયું છે. NIA કોર્ટના વિશેષ ન્યાયાધીશે આરોપીની ધરપકડ અને પૂછપરછની જરૂરિયાત જણાવી આદેશ આપ્યો છે. આ વોરંટ કાયદા મુજબ અમલીકરણ માટે NIA, જમ્મુના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલને મોકલવામાં આવ્યું છે.
પહલગામ હુમલા કેસમાં હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર
સુરતમાં પાણી પ્રશ્ને ભાજપ કોર્પોરેટર પર સ્થાનિકોનો રોષ, ચૂંટણી ટાણે ગાયબ?
સુરતના કાપોદ્રા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર અછત સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. વોર્ડ નંબર 4ના ભાજપના મહિલા કોર્પોરેટર હંસા ગજેરાને લોકોએ ઘેરી લઈ પ્રશ્નો પૂછ્યા કે ચૂંટણી વખતે દેખાતા હતા, હવે ક્યાં ગયા? પાણી માટે કલાકો રાહ જોવી પડે છે તેવી રજૂઆત બાદ કોર્પોરેટરે શાંતિ રાખવાની અપીલ કરતા મામલો વધુ ગરમાયો. તેમની લાચાર અને કટાક્ષભરી પ્રતિક્રિયાએ ઘટનાને વધુ નાટકીય વળાંક આપ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
સુરતમાં પાણી પ્રશ્ને ભાજપ કોર્પોરેટર પર સ્થાનિકોનો રોષ, ચૂંટણી ટાણે ગાયબ?
અયોધ્યા રામ મંદિરમાં 3 કરોડની દાન ચોરી થઈ, કોષાધ્યક્ષ ગોવિંદદેવનો પ્રથમવાર સ્વીકાર
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરીએ સ્વીકાર્યું છે કે અયોધ્યાના રામ મંદિરના દાનમાંથી લગભગ 3 કરોડ રૂપિયાની ચોરી થઈ છે. તેમણે 14 કરોડના સોના-ચાંદીની ચોરીની અફવાઓને ખોટી ગણાવી છે. SIT તપાસથી સંતુષ્ટ હોવાનું જણાવી, ગોવિંદદેવે રાજીનામું આપવાના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ મેદાન છોડીને ભાગનારા નથી. બીજી તરફ, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. આગામી 22 જુલાઈની ટ્રસ્ટની બેઠકમાં કેટલાક મોટા ફેરફારોની સંભાવના છે.
અયોધ્યા રામ મંદિરમાં 3 કરોડની દાન ચોરી થઈ, કોષાધ્યક્ષ ગોવિંદદેવનો પ્રથમવાર સ્વીકાર
પુત્રના લગ્નના સપના, માતાએ ન્યાય માટે PM મોદીને લખ્યો પત્ર
પુણેના યુવાન ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની હત્યા બાદ, તેની માતા રાખી અગ્રવાલે ન્યાય માટે સીધા PM મોદી નો સંપર્ક કર્યો છે. રાખી અગ્રવાલે પોતાના ઈમેલમાં જણાવ્યું કે, પુત્રના લગ્ન અને સુખી જીવનના સપના જોતા હતા, પણ હવે અંતિમ સંસ્કાર કરવા પડ્યા. દીકરાની યાદો અને પરિવાર હજુ આ દુઃખમાંથી બહાર નથી આવ્યો. કેતન અગ્રવાલના દાદા પણ આઘાત સહન ન કરી શક્યા અને તેમનું પણ અવસાન થયું. રાખી અગ્રવાલે કોઈ સહાનુભૂતિ નહીં, પરંતુ નિષ્પક્ષ અને ઝડપી તપાસની અપીલ કરી છે.