વડોદરાની દુમાડ ચોકડી પાસે વાહનની ટક્કરથી રાહદારીનું દુઃખદ મોત
દુમાડ ચોકડી નજીક એક યુવકને વાહને અડફેટે લીધો, જેના કારણે તેનું ગંભીર ઇજાઓથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થઈ ગયો હતો. રાહદારીની ઓળખ અમરનાથ ગુલીચંદ કોરી તરીકે થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તેને સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાની દુમાડ ચોકડી પાસે વાહનની ટક્કરથી રાહદારીનું દુઃખદ મોત
અમદાવાદમાં મીઠાઈ-ફરસાણની દુકાનો પર ટેસ્ટિંગ કિટ ફરજિયાત
અમદાવાદ શહેરના વિકાસ સાથે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ સમસ્યાને પહોંચી વળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે. હવે શહેરની તમામ મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ખાદ્ય પદાર્થોના પ્રાથમિક ટેસ્ટિંગ માટેની કિટ ફરજિયાત રાખવી પડશે. આનાથી ગ્રાહકોને કોઈપણ અખાદ્ય કે ભેળસેળયુક્ત પદાર્થ અંગે શંકા જાય તો તેઓ જાતે જ કિટ દ્વારા ચકાસણી કરી શકશે અને જરૂર જણાય તો AMC તંત્રને ફરિયાદ પણ કરી શકશે.
અમદાવાદમાં મીઠાઈ-ફરસાણની દુકાનો પર ટેસ્ટિંગ કિટ ફરજિયાત
ગાયકવાડના દીવાનજીને સપનામાં દેખાયા 'નાગનાથ મહાદેવ'
અમરેલી શહેરની મધ્યમાં આવેલું ગાયકવાડી સમયનું 'નાગનાથ મહાદેવ' શિવાલય ખૂબ જ પ્રખ્યાત છે. એક દંતકથા અનુસાર, સ્ટેટના દીવાનજી વિઠ્ઠલરાવ દેવાજીને સ્વપ્નમાં અલૌકિક શિવલિંગના પ્રાગટ્યનો સંકેત મળ્યો. આ પહેલા, દીવાનજીની ગાયો એક ચોક્કસ જગ્યાએ આવીને આપમેળે દૂધ વહેવડાવતી હતી, જે ભરવાડે જોયું. દીવાનજીએ સ્વપ્ન બાદ તે જગ્યાએ ખોદકામ કરાવતા સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું. વિક્રમ સંવત 1869માં મંદિરનો પાયો નંખાયો અને 60 હજાર રૂપિયાના ખર્ચે મંદિર બન્યું. શ્રાવણ માસમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.
ગાયકવાડના દીવાનજીને સપનામાં દેખાયા 'નાગનાથ મહાદેવ'
અમદાવાદમાં કિડનીદાન: 41 બહેનોએ ભાઈને બચાવ્યો
અમદાવાદની સિવિલ હોસ્પિટલની ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરમાં છેલ્લા પાંચ વર્ષમાં 41 બહેનોએ પોતાના ભાઈઓને કિડનીદાન આપી જીવન બચાવ્યું છે. આ ઉપરાંત 6 ભાઈઓએ પણ પોતાની બહેનોને કિડનીનું દાન કર્યું છે. કિડની મેળવનાર એક ભાઈએ જણાવ્યું કે, મારી બહેને મને નવજીવનની ભેટ આપી છે. આઈકેડીઆરસીના હેડ ડૉ. પ્રાંજલ મોદીએ કહ્યું કે, સ્ત્રીઓના સંવેદનશીલતા અને ત્યાગને કારણે તેઓ કિડની દાનમાં હંમેશા મોખરે રહે છે.
અમદાવાદમાં કિડનીદાન: 41 બહેનોએ ભાઈને બચાવ્યો
મુંબઈના નાલાસોપારામાં બિલ્ડર પાસેથી ખંડણી માંગવાના આરોપસર ભાજપના ચાર કાર્યકરો ઝડપાયા
નાલાસોપારા-વેસ્ટના શ્રીપ્રસ્થ વિસ્તારમાં એક બિલ્ડર પાસેથી ૫૦,૦૦૦ રૂપિયાની ખંડણી માંગવા, જાતિ આધારિત અપશબ્દો બોલીને દુર્વ્યવહાર કરવા અને હેરાનગતિ કરવાના આરોપસર નાલાસોપારા પોલીસે ભાજપના ચાર પદાધિકારીઓ અને કાર્યકરોની ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ ખંડણી સહિત અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બાંધકામ ચાલુ રાખવું હોય તો પૈસા આપવા પડશે તેમ કહી ધાકધમકી આપી હતી. ઘટનામાં ઉપયોગમાં લેવાયેલું વાહન ભાજપના કોર્પોરેટર પ્રિચી પવારના પતિના નામે હોવાથી તેમની ભૂમિકાની પણ તપાસ થઈ રહી છે.
મુંબઈના નાલાસોપારામાં બિલ્ડર પાસેથી ખંડણી માંગવાના આરોપસર ભાજપના ચાર કાર્યકરો ઝડપાયા
તળાજામાં રક્ષાબંધનનો ઉત્સાહ: બજારોમાં ખરીદીનો માહોલ
મોંઘવારી અને મંદી વચ્ચે પણ તળાજા પંથકમાં રક્ષાબંધનના પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. બજારમાં અંતિમ ઘડીની ખરીદીનો માહોલ જામતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો. રાખડીના ભાવમાં ૨૦%નો વધારો થયો હોવા છતાં, બહેનોએ ભાઈઓ માટે મોંઘી રાખડીઓ ખરીદી. ચાંદીનો ભાવ આસમાને હોવા છતાં, ગત વર્ષની તુલનામાં આ વર્ષ ચાંદીની રાખડીનું વેચાણ ત્રણ ગણું વધ્યું, અને સોનાની રાખડીઓની પણ માંગ રહી. મીઠાઈની દુકાનોમાં પણ લોકોની ભીડ જોવા મળી.
તળાજામાં રક્ષાબંધનનો ઉત્સાહ: બજારોમાં ખરીદીનો માહોલ
મહુવા ડિવિઝનના બે સબ ડિવિઝનમાં વીજચોરી
મહુવા ડિવિઝનના જેસર અને બગદાણા સબ ડિવિઝનમાં PGVCL દ્વારા વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. ભાવનગર વર્તૂળ કચેરી હેઠળની ૧૫ ટીમોએ કુલ ૧૬૩ વીજ કનેક્શનોની તપાસ કરી. આ તપાસમાં ૩૪ રહેણાંકી અને ૨ વાણિજ્યિક મળી કુલ ૩૬ કનેક્શનોમાં રૂપિયા ૧૧.૮૮ લાખની વીજચોરી ઝડપાઈ. PGVCL દ્વારા વીજચોરી કરનારાઓ સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
મહુવા ડિવિઝનના બે સબ ડિવિઝનમાં વીજચોરી
દિલ્હી મોડલ મુસ્કાનની હત્યાના આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યું
દિલ્હી પોલીસે તિલક નગરમાં 21 વર્ષીય મોડેલ અને દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની મુસ્કાનની હત્યાના મુખ્ય આરોપી આકિબ ઉર્ફે ઇમરાનને સફળતાપૂર્વક દબોચી લીધો છે. ધરપકડ દરમિયાન થયેલી અથડામણમાં તેને ગોળી વાગતાં ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને શોધી કાઢ્યો હતો. પ્રેમ પ્રકરણમાં થયેલા ઝઘડા બાદ આરોપીએ મુસ્કાન પર ચાકુ વડે અનેક ઘા કર્યા હતા, જેના કારણે તેનું મૃત્યુ થયું.
દિલ્હી મોડલ મુસ્કાનની હત્યાના આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યું
મુંબઇના વસઈ-વિરારમાં કચરા પ્રોસેસિંગમાં ૬૯ કરોડના કૌભાંડનો ગંભીર આરોપ
વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરાના પ્રોસેસિંગ અને પરિવહન પ્રોજેક્ટમાં ૬૯ કરોડ રૂપિયાના કૌભાંડનો ભાજપે ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓના જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી ખોટા બિલ બનાવી નાણાકીય ગેરરીતિ કરવામાં આવી છે. આ મામલે સાઈ યુટિલિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રજૂ કરાયેલા બનાવટી બિલ અને આરડીએફના પરિવહન તેમજ એમઆરએફ પ્રોજેક્ટમાં પણ ગેરરીતિનો દાવો કરાયો છે. કોન્ટ્રાક્ટ રદ કરાયો હોવા છતાં હાઈકોર્ટમાંથી સ્ટે મળ્યો છે.
મુંબઇના વસઈ-વિરારમાં કચરા પ્રોસેસિંગમાં ૬૯ કરોડના કૌભાંડનો ગંભીર આરોપ
ભાવનગર લઠ્ઠાકાંડમાં દિલ્હીથી મિથેનોલ સપ્લાય કરનારા ત્રણ મુખ્ય આરોપી ઝડપાયા
ભાવનગર લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે. નકલી દારૃ બનાવવા માટે દિલ્હીથી અમદાવાદ સુધી મિથેનોલ સપ્લાય કરતા ત્રણ મુખ્ય શખ્સો, જેમ કે પ્રમોદકુમાર બુડાકોટી, રોહિત પ્રધાન અને કેશવ જાટવ, દિલ્હી પોલીસની મદદથી ઝડપાયા છે. આ ધરપકડ બાદ કુલ આરોપીઓનો આંકડો ૩૧ પર પહોંચ્યો છે. આ શખ્સોને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ પર ભાવનગર લાવવાની તજવીજ ચાલી રહી છે. આ કેસમાં ગેરકાયદે દારૃના સપ્લાય ચેઈનના મૂળ સુધી પહોંચવામાં પોલીસને મહત્વની કડી મળી છે.
ભાવનગર લઠ્ઠાકાંડમાં દિલ્હીથી મિથેનોલ સપ્લાય કરનારા ત્રણ મુખ્ય આરોપી ઝડપાયા
સંસ્કારીનગરીમાં સૂર્યમુખી જેવા સોલાર ટ્રી
વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા ‘નેટ ઝીરો ઇનિશિયેટિવ’ હેઠળ પર્યાવરણ જાળવણી અને રિન્યુએબલ એનર્જી માટે ફૂલ જેવા આકર્ષક સોલાર ટ્રી પ્રોજેક્ટ શરૂ કરાયો છે. પ્રથમ તબક્કામાં 10 સ્થળો પર 20 સોલાર ટ્રી લગાવ્યા છે, જેમાં 3 જગ્યાએ વીજ ઉત્પાદન શરૂ થયું. આ પ્રોજેક્ટથી વાર્ષિક 2,62,800 યુનિટ વીજ ઉત્પાદન થશે, જે પાલિકાને દર વર્ષે 18.40 લાખ રૂપિયાથી વધુની આર્થિક બચત કરાવશે. ₹4.93 કરોડના ખર્ચે બનેલા આ ટ્રીમાં પાંદડાં સોલાર પેનલનું કામ કરશે અને નજીવી જગ્યામાં 5 KW સુધીની ક્ષમતા મળશે.
સંસ્કારીનગરીમાં સૂર્યમુખી જેવા સોલાર ટ્રી
મુંબઈના વિરાર રમાબાઈ એપાર્ટમેન્ટ દુર્ઘટનાના ૧ વર્ષ બાદ ૧૦ સામે ચાર્જશીટ
વિરારના રમાબાઈ એપાર્ટમેન્ટ દુર્ઘટનાને એક વર્ષ થયું, જેમાં ૧૭ લોકોના મોત થયા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ દસ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં વસઈ-વિરાર મહાનગરપાલિકાના બે આસિસ્ટન્ટ કમિશનરનો પણ સમાવેશ છે. જોકે, ત્રણ આરોપીઓના મૃત્યુ થતાં તેમના નામ ચાર્જશીટમાંથી બાકાત કરવામાં આવ્યા છે. અનધિકૃત અને જોખમી ઇમારત હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા તેને ખાલી કરાવવામાં આવી નહોતી. પોલીસે અંદાજે ૨,૫૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે, જેમાં ડેવલપર, જમીનમાલિક અને અધિકારીઓ સામે આરોપો છે.
મુંબઈના વિરાર રમાબાઈ એપાર્ટમેન્ટ દુર્ઘટનાના ૧ વર્ષ બાદ ૧૦ સામે ચાર્જશીટ
ભુજના માંડવીની કોલેજમાં PCOD પર સેમિનાર
શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, માંડવી ખાતે મહિલા સેલ અને ઇનર વ્હીલ ક્લબ ઓફ માંડવી દ્વારા પીસીઓડી (PCOD) વિષય પર એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરાયું. મુખ્ય વક્તા ડૉ. નેહા કાપ્ટાએ વિદ્યાર્થીનીઓને PCOD ના લક્ષણો, કારણો અને સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે વિસ્તૃત જાણકારી આપી. કોલેજના આચાર્ય ડૉ. મહેશ બારડે વિદ્યાર્થીનીઓને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અને યોગ્ય જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો. આ કાર્યક્રમમાં યોગ્ય આહાર, પૂરતી ઊંઘ અને તણાવમુક્ત જીવનશૈલી અપનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.
ભુજના માંડવીની કોલેજમાં PCOD પર સેમિનાર
બાંદ્રા-ભુજ ટ્રેનમાં દારૂની હેરાફેરી: પ્રવાસીઓએ ત્રણને ઝડપી પાડ્યા
બાંદ્રા ટર્મિનસથી ભુજ જતી ટ્રેનના AC કોચમાં મુસાફરોએ સીટ નીચે છુપાવેલો દારૂનો મોટો જથ્થો શોધી કાઢ્યો. લાંબા સમય સુધી કોઈ બેગ લેવા નહીં આવતા શંકા ગઈ અને તપાસ કરતાં દારૂની બોટલો અને પાઉચનો જથ્થો મળી આવ્યો. આ દરમિયાન મુસાફરોએ કોચમાં હાજર ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને પણ ઘેરી લીધા હતા. સુરત પહોંચતા RPF-જીઆરપી દોડી આવી અને દારૂના જથ્થા સાથે ત્રણ શંકાસ્પદ બુટલેગરોની અટકાયત કરી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બાંદ્રા-ભુજ ટ્રેનમાં દારૂની હેરાફેરી: પ્રવાસીઓએ ત્રણને ઝડપી પાડ્યા
૧૯૭૧ યુદ્ધ બાદ વિખૂટા પડેલા પરિવારોની ભાવુક રક્ષાબંધન ઉજવણી
૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ પાકિસ્તાનથી આવીને થરાદના શિવનગરમાં વસેલા અનેક હિન્દુ પરિવારો પોતાના સરહદ પાર રહેતા સ્વજનોથી વિખૂટા પડી ગયા છે. આ વર્ષે પણ, મોબાઈલ વીડિયો કોલના માધ્યમથી, બહેનોએ પાકિસ્તાનમાં રહેતા ભાઈઓના ચહેરા જોઈને રક્ષાબંધનની ભાવુક ઉજવણી કરી. આ ટેક્નોલોજી હજારો કિલોમીટરના અંતર વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમનો સેતુ બની રહી છે. ભૌગોલિક સીમાઓ ભલે અલગ પાડે, પરંતુ આ પરિવારોની ઈચ્છા છે કે નિયમો સરળ બને અને તેઓ પોતાના પ્રિયજનોને મળી શકે.
૧૯૭૧ યુદ્ધ બાદ વિખૂટા પડેલા પરિવારોની ભાવુક રક્ષાબંધન ઉજવણી
ગેંગસ્ટર લોરેન્સના ગામનો અહેવાલ
પંજાબના અબોહર તાલુકાના દૂતારાંવાલી ગામમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ઘર અને તેના પૂર્વજોની સમાધિ વિશે જાણવાનો પ્રયાસ કરાયો. ગ્રામજનોના મતે, લોરેન્સના પરિવાર પાસે 110 વીઘા જમીન અને 3-4 બંગલા છે, તેથી ખંડણી માંગવાની જરૂર નહોતી. બાળપણમાં લોરેન્સ ક્રિકેટનો શોખીન હતો અને રમતગમતમાં સક્રિય રહેતો હતો. ચંદીગઢ ગયા બાદ તેની જિંદગી બદલાઈ ગઈ. લોરેન્સ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે અને તેના ભાઈએ તાજેતરમાં જ કેટલાક ખુલાસા કર્યા છે.
ગેંગસ્ટર લોરેન્સના ગામનો અહેવાલ
સુરતી શિક્ષકની અનોખી પહેલ
સુરતના નરેશ મહેતા, જેમને કોઈ સગી બહેન નથી, તેમણે ગુજરાતભરની 3000થી વધુ બહેનો-દીકરીઓને Free Online Education આપી ડોક્ટર અને ટીચર બનવામાં મદદ કરી છે. છેલ્લા 12 વર્ષથી, તેઓ આર્થિક કે અન્ય કારણોસર અભ્યાસ છોડી ચૂકેલી મહિલાઓને તેમના અધૂરા સપનાઓને નવી પાંખો આપી રહ્યા છે. આ Uniqueness celebrate કરવા, 321 બહેન-દીકરીઓએ રક્ષાબંધન પર તેમને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા, જેમાં તેમના દીકરાઓ અને માતાઓ પણ સાથે હતા.
સુરતી શિક્ષકની અનોખી પહેલ
આબુની હોટલમાં વેઈટરને હાર્ટ એટેક: પાટીદાર પરિવારે CPR આપી બચાવ્યો જીવ
માઉન્ટ આબુની હિલલોક હોટલમાં અચાનક વેઈટર કિશનલાલને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. મહેસાણા APMCના પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલ અને તેમના પરિવારે સમય ગુમાવ્યા વિના તાત્કાલિક CPR (Cardiopulmonary resuscitation) આપી વેઈટરનો જીવ બચાવ્યો. વિષ્ણુ પટેલના પુત્ર જયે મોઢા વડે શ્વાસ આપી વેઈટરને ફરીથી જીવંત કર્યા. આ ઘટના હોટલના CCTVમાં કેદ થઈ હતી. કુદરતે એક વ્યકિતનો જીવ બચાવવાનો મોકો આપ્યો તે બદલ વિષ્ણુ પટેલ ભગવાનનો આભાર માને છે.
આબુની હોટલમાં વેઈટરને હાર્ટ એટેક: પાટીદાર પરિવારે CPR આપી બચાવ્યો જીવ
ભુજ ગેઇમ્સમાં CISP તાલીમ
ભુજ સ્થિત અદાણી મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણને વધુ મજબૂત કરવા બે દિવસીય કરિક્યુલમ ઇમ્પ્લિમેન્ટેશન સપોર્ટ પ્રોગ્રામ (CISP) યોજાયો. નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા નિયુક્ત CISP કો-ઓર્ડિનેટર ડૉ. ઈલેશ કોટેચાની ઉપસ્થિતિમાં, ગેઇમ્સના 30 ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો. તેમને યોગ્યતા આધારિત તબીબી શિક્ષણ (CBME) અભ્યાસક્રમના અસરકારક અમલીકરણ અંગે માર્ગદર્શન અપાયું. કાર્યક્રમમાં પુસ્તક જ્ઞાન સાથે કૌશલ્ય, વલણ, નૈતિક મૂલ્યો અને સંચારક્ષમતા વિકસાવવાની ચર્ચા થઈ. મેડિકલ ડિરેક્ટર ડો. નરેન્દ્ર હિરાણી અને ડીન ડો. અજીત કુમાર ખિલનાનીના માર્ગદર્શન હેઠળ આયોજન થયું.
ભુજ ગેઇમ્સમાં CISP તાલીમ
ડી-માર્ટના બ્રેડમાં ફુગ:ફૂ ડ ઈન્સ્પેક્ટરે કાર્યવાહીને બદલે FSSAIને મેલ કરીને હાથ ઊંચા કરી દીધા
સુરતના વરાછામાં સબ્જીના કારણે બાળકીના મૃત્યુ બાદ ખોરાક ચેકિંગ ચાલી રહ્યું છે, ત્યારે અડાજણના ડી-માર્ટમાં ફુગવાળા બ્રેડ મળ્યા. ગ્રાહકે ‘ફ્રેશપ’ બ્રાન્ડના બ્રેડ ખરીદ્યા, જેની એક્સપાયરી ડેટ 27 ઓગસ્ટ હોવા છતાં ફુગ હતી. સ્થાનિક ફૂડ સેફ્ટી ઈન્સ્પેક્ટર સમિત દેસાઈએ FSSAI લાયસન્સ હોવાનું જણાવી FSSAIને મેલ કરીને કાર્યવાહી તેમની હદમાં હોવાનું કહી હાથ ઊંચા કરી દીધા. મુખ્ય આરોગ્ય અધિકારીના આદેશ બાદ તપાસ શરૂ થઈ.
ડી-માર્ટના બ્રેડમાં ફુગ:ફૂ ડ ઈન્સ્પેક્ટરે કાર્યવાહીને બદલે FSSAIને મેલ કરીને હાથ ઊંચા કરી દીધા
7 JCB દ્વારા 17 દિવસમાં 19 હજાર ક્યુબિક મીટર માટી ખસેડાઈ
સુરતમાં 3 ખાડી પૂર અને લાખો લોકોના આંદોલન બાદ તંત્રએ સરકારને રિપોર્ટ રજૂ કરવાનો હોવાથી, સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન યુદ્ધના ધોરણે 7 JCB ઉતારીને ખાડીઓ પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા 17 દિવસમાં 19 હજાર ક્યુબિક મીટર માટી ઉલેચવામાં આવી છે. અલથાણ સ્થિત કાંકરા ખાડીનો પટ પહોળો કરવા માટી ઉલેચવાની કામગીરી તેજ કરાઈ છે, જે આગામી દિવસોમાં સચિન તરફ આગળ વધશે. LiDAR અને હાઇડ્રૉલૉજી સર્વેના આધારે કાયમી ઉકેલની દિશા નક્કી કરાશે.
7 JCB દ્વારા 17 દિવસમાં 19 હજાર ક્યુબિક મીટર માટી ખસેડાઈ
કાઠિયાવાડી સંસ્કૃતિની ઓળખ: તરણેતર મેળો
સુરેન્દ્રનગરના થાનગઢના તરણેતર ગામે યોજાતા વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં કાઠિયાવાડી સંસ્કૃતિની ઝલક દર્શાવતા પરંપરાગત પોશાકોની ભારે માંગ રહે છે. એક ટ્રેડિશનલ ડ્રેસ તૈયાર કરવામાં લગભગ એક મહિનો લાગે છે અને તેની કિંમત ₹5000 થી ₹11000 સુધી હોય છે. આ પોશાકો દેશ-વિદેશમાં કાઠિયાવાડની સંસ્કૃતિની ઓળખ વધારે છે અને અનેક કારીગરોને રોજગારી પૂરી પાડે છે. મેળા દરમિયાન આ પોશાકોનું વેચાણ આશરે ₹50 લાખથી ₹1 કરોડથી વધુ થાય છે.
કાઠિયાવાડી સંસ્કૃતિની ઓળખ: તરણેતર મેળો
સુરેન્દ્રનગરમાં ત્રણ આઇકોનિક રોડનું કામ લંબાયું
સુરેન્દ્રનગરમાં ત્રણ આઇકોનિક રોડના કામમાં વિલંબ થઈ રહ્યો છે. અલકાપુરી ચોકથી ઉપાસના સર્કલ સુધીના 1 કિમી રોડનું કામ સમયમર્યાદા વીતી જવા છતાં શરૂ થયું નથી. વળી, વાલમપાર્કથી જીઆઇડીસી નવા 80 ફૂટ રોડ અને વઢવાણ ધોળીપોળથી પંજાબ નેશનલ બેંક સુધીના રોડનું કામ, જે 9 અને 11 મહિનામાં પૂર્ણ થવાનું હતું, તે 5 મહિના વીતી જવા છતાં શરૂ થયું નથી. સ્ટ્રોમ વોટર લાઇન અને પોલ શિફ્ટિંગ જેવી સમસ્યાઓને કારણે આ વિલંબ થઈ રહ્યો છે.
સુરેન્દ્રનગરમાં ત્રણ આઇકોનિક રોડનું કામ લંબાયું
મહુવા નજીક બોરડી ગામે ખેતરમાં કરંટના ફંદામાં સિંહણનું જીવલેણ મોત
મહુવા તાલુકાના બોરડી ગામ નજીક એક વાડીમાં વીજ કરંટ લાગતાં સિંહણનું મોત થયું છે. પ્રાથમિક તપાસ મુજબ, વાડીમાં ગેરકાયદે વીજળીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે આ ઘટના બની. મૃત સિંહણની ઉંમર આશરે 5 થી 9 વર્ષ હોવાનું અનુમાન છે. આ ઘટનાની જાણ થતાં વન વિભાગ, FSL ટીમ અને PGVCLની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. PGVCL દ્વારા ફાર્મ રાખનાર ગોબરભાઈ મકવાણાને રૂ. 8000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
મહુવા નજીક બોરડી ગામે ખેતરમાં કરંટના ફંદામાં સિંહણનું જીવલેણ મોત
બોટાદ જિલ્લાના ટાટમ ગામમાં 77મો વન મહોત્સવ ઉજવાયો
બોટાદ જિલ્લાના ટાટમ ગામે 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી સામાજીક વનીકરણ વિભાગ દ્વારા કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને કલેક્ટરે "હરિયાળું ભારત" બનાવવા અને ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવા વૃક્ષારોપણના મહત્વ પર ભાર મૂક્યો. આગામી સમયમાં 150 વન બનાવવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે. કાર્યક્રમ બાદ મહેમાનોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. ભવિષ્યમાં 10.25 હેકટરમાં મીયાંવાંકી પધ્ધતિથી 10 વન કવચ તૈયાર કરવામાં આવશે. સારા કામગીરી બદલ વન વિભાગના અધિકારી-કર્મચારીઓનું સન્માન કરાયું.
બોટાદ જિલ્લાના ટાટમ ગામમાં 77મો વન મહોત્સવ ઉજવાયો
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 28 ખડમોર પક્ષીઓની ગણતરી
ચોમાસાની શરૂઆત સાથે ભાવનગર જિલ્લાના વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં લીલાછમ ઘાસની હરિયાળી છવાઈ જાય છે. આ ઉદ્યાનમાં હાલ 28 ખડમોર પક્ષીઓ જોવા મળ્યા છે, જેમાં 22 નર અને 6 માદાનો સમાવેશ થાય છે. વન વિભાગ દ્વારા દર વર્ષે ઓગસ્ટ મહિનામાં ખડમોરની ગણતરી કરવામાં આવે છે. આ પક્ષીઓ પ્રજનન માટે દક્ષિણ ભારતથી ગુજરાત આવે છે, કારણ કે અહીં વરસાદ બાદ ઘાસ, કીટકોની સંખ્યા વધે છે અને માનવીય પ્રવૃત્તિ ઓછી રહે છે, જે પ્રજનન માટે અનુકૂળ છે.
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 28 ખડમોર પક્ષીઓની ગણતરી
મહેસાણાના વિજાપુરમાં ગેજ પરિવર્તન પૂર્ણ, છતાં ટ્રેન સેવા શરૂ કરવામાં વિલંબ
વિજાપુરથી આંબલિયાસણ અને વિજાપુરથી આદરજ મોટી વચ્ચે રૂ.833 કરોડના ખર્ચે ગેજ પરિવર્તનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. જોકે, 8 મહિના વીતી ગયા હોવા છતાં, સામાન્ય મુસાફરો માટે હજુ સુધી એક પણ ટ્રેન શરૂ કરવામાં આવી નથી. ડિસેમ્બર-2025માં કામ પૂર્ણ થયા બાદ કમિશનર ઓફ રેલવે સેફ્ટી (CRS) દ્વારા 120 કિમી પ્રતિ કલાકની સ્પીડ સાથે ટ્રાયલ પણ સફળ રહ્યું હતું. આ તૈયાર ટ્રેક પર નિયમિત ટ્રેન સેવા શરૂ કરવાની મુસાફરો, નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં માત્ર ઇલેક્ટ્રિફિકેશન OAE નિરીક્ષણ માટે એક રેલવે એન્જિન દોડાવવામાં આવી રહ્યું છે.
મહેસાણાના વિજાપુરમાં ગેજ પરિવર્તન પૂર્ણ, છતાં ટ્રેન સેવા શરૂ કરવામાં વિલંબ
ડાંગના ઝરી ગામે સીતામાતા અને હનુમાનજીની મૂર્તિ ખંડિત થતાં શ્રદ્ધાળુઓમાં આક્રોશ
ડાંગ જિલ્લાના ઝરી ગામના ‘સીતા વન’ વિસ્તારમાં માતા સીતા અને હનુમાનજીની મૂર્તિઓને અજાણ્યા તત્વો દ્વારા ખંડિત કરવામાં આવતાં સ્થાનિક શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પવિત્ર સ્થળ રામાયણ કાળ સાથે જોડાયેલું છે અને દરરોજ અનેક લોકો દર્શન માટે આવે છે. આ ઘટનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. ગ્રામજનોએ પોલીસ અને તંત્રને તાત્કાલિક તપાસ કરી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. શ્રાવણ માસમાં થયેલા આ કૃત્યથી લોકોમાં ખૂબ જ ગુસ્સો છે.
ડાંગના ઝરી ગામે સીતામાતા અને હનુમાનજીની મૂર્તિ ખંડિત થતાં શ્રદ્ધાળુઓમાં આક્રોશ
કંડલા પોર્ટના 1501 કરોડના હિસાબમાં ગરબડ: કેગ રિપોર્ટ
કચ્છના દીનદયાળ પોર્ટ (કંડલા પોર્ટ) ના નાણાકીય વહીવટમાં ગંભીર ક્ષતિઓનો ખુલાસો ભારતીય કેગ (CAG) ના રિપોર્ટમાં થયો છે. રિપોર્ટ મુજબ, 2022-23ના 1501 કરોડ રૂપિયાના હિસાબોમાં ગોટાળા છે, કારણ કે પોર્ટ ઓથોરિટી મેનેજમેન્ટ દ્વારા વર્ષવાર અને કંપનીવાર વિસ્તૃત હિસાબ આપવામાં આવ્યો નથી. આ કારણે કેગ હિસાબોની પુષ્ટિ કરી શક્યું નથી. વધુમાં, ₹184.03 કરોડની રોયલ્ટી આવકના સ્પેશિયલ ઓડિટ રિપોર્ટ જમા કરાયા નથી. 2022-23 અને 2023-24 મળીને કુલ ₹298 કરોડની રોયલ્ટીનું ઓડિટ થયું નથી. પોર્ટે ભંગારમાં કાઢેલી 28 મિલકતોને પણ ચોપડે ‘જીવંત’ દર્શાવી છે, જે મોટી ગેરરીતિ છે.
કંડલા પોર્ટના 1501 કરોડના હિસાબમાં ગરબડ: કેગ રિપોર્ટ
શ્રદ્ધાળુઓ માટે મોડાસાના પોસાલિયામાં નિ:શુલ્ક ગુજરાતી વિસામો અને ભંડારાનો શુભારંભ
ગુજરાતમાંથી રામદેવરા પગપાળા દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓ માટે પોસાલિયામાં 24મા નિઃશુલ્ક ગુજરાતી ભંડારાનો શુભારંભ કરવામાં આવ્યો છે. પંચાયતી રાજ્યમંત્રી ઓટારામ દેવાસીએ જણાવ્યું કે સેવા એ જ સાચી ઈશ્વર ભક્તિ છે. આ ભંડારામાં યાત્રાળુઓને રહેવા, જમવા (શુદ્ધ ઘીની મીઠાઈ સાથે), અને મેડિકલ સેવા જેવી ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આયોજકોની સેવાને બિરદાવવામાં આવી અને અન્નસેવાને સર્વોપરી ગણાવવામાં આવી.
શ્રદ્ધાળુઓ માટે મોડાસાના પોસાલિયામાં નિ:શુલ્ક ગુજરાતી વિસામો અને ભંડારાનો શુભારંભ
મોડાસાના નવા ગામમાં દવા છાંટતાં ખેડૂતને ઝેરી જાનવરે દંશ માર્યો
માલપુરના નવાગામમાં પટેલ મુકેશભાઈ ધુળાભાઈ (55) પોતાના મગફળીના પાકમાં દવા છંટકાવ કરી રહ્યા હતા. ત્યારે છૂપાયેલા ઝેરી જાનવરે તેમને અચાનક દંશ માર્યો. તેઓ બેભાન અવસ્થામાં હોવાથી તાત્કાલિક સ્થાનિક દવાખાને, ત્યારબાદ મોડાસા અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. રક્ષાબંધન પર્વ ટાણે થયેલા આ દુર્ઘટનાથી પરિવારમાં શોકનો માતમ છવાયો હતો.