રાજકોટ એરપોર્ટ પર ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, IB તપાસ કરશે.
રાજકોટ એરપોર્ટ પર ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, IB તપાસ કરશે.
Published on: 17th May, 2026

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અંદાજે ₹10 કરોડની કિંમતની 400 કિલો ચાંદી ઝડપાતા ભારે સનસનાટી ફેલાઈ છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)એ બાતમીના આધારે દરોડો પાડી આ બિનહિસાબી જથ્થો કબજે કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ચાંદીનો જથ્થો ઉત્તર પ્રદેશના વારાણસીથી મોકલાયો હતો અને ‘સનરાઈઝ પેઢી’ નામના વેપારી દ્વારા તેની હેરફેર કરવામાં આવી હતી. આ ચાંદી રાજકોટના સામાકાંઠા વિસ્તારના એક જાણીતા વેપારીની હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.