જંતર-મંતર પર આતંકી હુમલોનો ભય; ISI કનેક્શન ખુલ્યું
પંજાબ પોલીસે ISI ના ઇશારે મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ કર્યો છે. અમૃતસર પોલીસે 4 સગીરો સહિત 9 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પેટ્રોલ બોમ્બ, બોટલ બોમ્બ, પિસ્તોલ અને કારતૂસ જપ્ત કરાયા છે. દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા ધરણામાં હુમલાની યોજના હતી, પરંતુ સુરક્ષા એજન્સીઓની સતર્કતાથી તે નિષ્ફળ રહી. બીજી ગેંગ રેલવે ટ્રેક પર CCTV લગાવી પાકિસ્તાન હેન્ડલરોને ફૂટેજ મોકલતી હતી. આર્થિક પ્રલોભનોથી સગીરોને દેશવિરોધી ગતિવિધિઓમાં ફસાવવામાં આવ્યા હતા.
જંતર-મંતર પર આતંકી હુમલોનો ભય; ISI કનેક્શન ખુલ્યું
દેશભરમાં મેઘતાંડવ: ભૂસ્ખલન, પૂર, વરસાદ અને ટ્રાફિક જામ
દેશભરના વિવિધ રાજ્યોમાં ચોમાસાનો માહોલ જામ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પર મોટી અસર પડી છે. પશ્ચિમ બંગાળ, અસમ, ઉત્તરાખંડ, રાજસ્થાન, તેલંગાણા, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોમાં મુશળધાર વરસાદ, ભૂસ્ખલન, પૂર અને ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અસમમાં ભૂસ્ખલનને કારણે નેશનલ હાઇવે બ્લોક થયો છે, જ્યારે ઉત્તરાખંડના દહેરાદૂનમાં વરસાદને કારણે પાણી ભરાયા છે. પ્રયાગરાજ અને દિલ્હીના સંગમ વિહાર જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે.
દેશભરમાં મેઘતાંડવ: ભૂસ્ખલન, પૂર, વરસાદ અને ટ્રાફિક જામ
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝથી ભારતના 60 જહાજો સુરક્ષિત નીકળ્યા,
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં મિસાઈલ હુમલાઓ વચ્ચે ભારતે પોતાની ઊર્જા સુરક્ષા અને વેપાર માર્ગોને સુરક્ષિત રાખવામાં મોટી સફળતા મેળવી છે. સરકારે સંસદમાં જણાવ્યું કે, તમામ સુરક્ષા પડકારો છતાં ભારત આવતા 60 માલવાહક જહાજો હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત રીતે પસાર થયા છે. આ ઉપરાંત, 3,972 ભારતીય નાવિકોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. 24x7 કંટ્રોલ રૂમ, સતત સંપર્ક અને મદદના યોગ્ય સંકલન જેવા પગલાંઓથી ભારતની સપ્લાય ચેઈન સામાન્ય રહી છે.
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝથી ભારતના 60 જહાજો સુરક્ષિત નીકળ્યા,
જન્મ-મૃત્યુ પ્રમાણપત્રના નવા નિયમો!
જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક સંસદના બંને ગૃહમાંથી પસાર થતાં હવે જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર બનાવવાની પ્રક્રિયામાં મોટા ફેરફાર થયા છે. આ નવા કાયદાનો મુખ્ય હેતુ બોગસ પ્રમાણપત્રો પર રોક લગાવવાનો અને પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો છે. જો જન્મ કે મૃત્યુના 2 વર્ષ પછી નોંધણી કરવામાં ન આવે, તો પ્રથમ શ્રેણીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો આદેશ ફરજિયાત બનશે. કાનૂની મુશ્કેલીઓ ટાળવા માટે સમયસર પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. હવે તમે CRS પોર્ટલ (crsorgi.gov.in) અથવા સ્થાનિક નગરપાલિકાની વેબસાઈટ પરથી ઘરે બેઠા મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો.
જન્મ-મૃત્યુ પ્રમાણપત્રના નવા નિયમો!
6 ઓગસ્ટે દેશના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
IMD મુજબ, 6 ઓગસ્ટે ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાત અને પડોશી રાજ્યોમાં વરસાદ વધશે. દેશના ઉત્તર, પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ પડી શકે છે, જેના પગલે સાવચેતી રાખવી જરૂરી છે. ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ભારત, છત્તીસગઢ, પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં પણ ભારે વરસાદની ચેતવણી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.
6 ઓગસ્ટે દેશના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
CJI સૂર્યકાંતનું યુવા પ્રદર્શન પર નિવેદન: સજા નહીં, કાઉન્સેલિંગની જરૂર
દિલ્હીમાં CJP દ્વારા યોજાયેલા પ્રદર્શન મુદ્દે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી છે. અરજીમાં પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી અને 7 દિવસની સામાજિક સેવાની સજાની માંગ કરવામાં આવી છે. CJI સૂર્યકાંતે પોલીસને સંયમ જાળવવા અને યુવાનો સાથે સંવાદ સાધવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, ભટકેલા યુવાનો પર લાઠીચાર્જ ન કરવો જોઈએ, તેમને પ્રેમથી સમજાવવા અને કાઉન્સેલિંગ આપવું જરૂરી છે. કડક વલણથી સમાજમાં તણાવ વધશે. યુવાનો કેમ વિરોધ કરી રહ્યા છે તે સાંભળવું જોઈએ.
CJI સૂર્યકાંતનું યુવા પ્રદર્શન પર નિવેદન: સજા નહીં, કાઉન્સેલિંગની જરૂર
સાણંદમાં પત્નીના પ્રેમીની ક્રૂર હત્યા: પતિને આજીવન કેદની સજા
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા સેશન્સ કોર્ટે સાણંદમાં પત્નીના પ્રેમીની માથામાં હથોડીના ઘા મારી કરપીણ હત્યા કરનાર પતિ જુવાન વડેરાને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી પેરોલ જમ્પ કરીને 6 મહિના ભાગતો ફર્યો હતો, પરંતુ સાણંદ પોલીસે તેને ઝડપી લીધો હતો. આ ઘટનામાં આરોપીની પત્નીને પણ ઈજાઓ પહોંચી હતી. ગુનાની ગંભીરતા અને પુરાવા ધ્યાનમાં રાખી કોર્ટે આ નિર્ણય આપ્યો છે.
સાણંદમાં પત્નીના પ્રેમીની ક્રૂર હત્યા: પતિને આજીવન કેદની સજા
CJP પ્રવક્તા સૌરવ દાસના ઘરે યુટ્યુબર્સનો ઘૂસણખોરી પ્રયાસ
કોકરોચ જનતા પાર્ટી (CJP) ના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરવ દાસે પોતાના પરિવાર માટે ગંભીર સુરક્ષા ખતરાનો દાવો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, અનેક યુટ્યુબર્સ અને મીડિયા રિપોર્ટરોએ તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને અંદરથી વીડિયો બનાવ્યા અને પ્રસારિત કર્યા. સૌરવ દાસે 'X' પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, આ તેમની પ્રાઈવસીનો ભંગ અને પરિવાર માટે મોટો સુરક્ષા ખતરો છે. તેમણે ચેતવણી આપી કે, આવા વીડિયોથી અસામાજિક તત્વો હુમલો કરશે તો યુટ્યુબર્સ જવાબદાર રહેશે. લગભગ 15-20 લોકો ઘરે પહોંચ્યા હતા, જ્યારે કેટલાક રાતથી બહાર જમા હતા. દાસ તે સમયે મહારાષ્ટ્રમાં પાર્ટીની બેઠકમાં હતા.
CJP પ્રવક્તા સૌરવ દાસના ઘરે યુટ્યુબર્સનો ઘૂસણખોરી પ્રયાસ
અમદાવાદમાં હાઇપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું: સંચાલક બચાવવાનો પોલીસનો કારસો?
અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાનામાં ચાલતા હાઇ પ્રોફાઇલ જુગારના અડ્ડાના મુખ્ય સંચાલક ગોવિંદ ઉર્ફે ગામા પટેલ પાસેથી કશું મળી નહી આવવાનો ફરિયાદમાં દાવો કરી પોલીસે તેને બચાવવાનો કારસો રચ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ જુગારનો અડ્ડો પોલીસ અને સ્થાનિક રાજકીય નેતાઓની રહેમરાહે ચાલતો હતો. સ્ટેટ મોનીટરિંગ સેલે કરેલી કાર્યવાહી બાદ પણ કેટલાક ભાગીદારો હજુ ફરાર છે. આ ગેરકાયદે ધંધામાં યુપીઆઇ ટ્રાન્જેકશન અને આંગડીયા પેઢી મારફતે લાખો રૂપિયાના હવાલા થતા હતા.
અમદાવાદમાં હાઇપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું: સંચાલક બચાવવાનો પોલીસનો કારસો?
અમદાવાદમાં વેપારીને ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટની લાલચ ભારે પડી
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં કાપડના વેપારી નારણ પુરોહિત ક્રેડિટ કાર્ડના 4,000 રિવોર્ડ પોઈન્ટ્સ જમા કરવાની લાલચમાં આવીને 1.85 લાખ રૂપિયા ગુમાવી બેઠા છે. ICICI બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી એક યુવતીએ ફોન પર અંગત વિગતો માંગી, અને OTP મેળવી છેતરપિંડી આચરી. વેપારીએ લિંક ખોલી અંગત માહિતી અને OTP આપતા તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા. આ મામલે કાલુપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ ચાલી રહી છે.
અમદાવાદમાં વેપારીને ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટની લાલચ ભારે પડી
વિદેશ મોકલવાના નામે 10 યુવકો સાથે 5.25 લાખની છેતરપિંડી
વડોદરાના કારેલીબાગની એક વિઝા કન્સલટન્સી સામે 18 યુવકોની છેતરપિંડીની ફરિયાદ બાદ, સુભાનપુરાના અન્ય વિઝા કન્સલટન્ટ સામે 10 યુવકો પાસેથી વિદેશ મોકલવાના નામે 5.25 લાખ રૂપિયાની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ યુવકોને હંગેરી, ઇટલી, ગ્રીસ અને સ્લોવેકિયા જેવા દેશોમાં વર્ક પરમિટ અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા હતા. મોટાભાગના યુવકોને વિદેશ મોકલવામાં આવ્યા ન હતા અને તેમની રકમ પણ પરત કરવામાં આવી ન હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિદેશ મોકલવાના નામે 10 યુવકો સાથે 5.25 લાખની છેતરપિંડી
ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ નિષ્ફળ!
લોસ એન્જલસમાં પ્રમુખ ટ્રમ્પના ગોલ્ફકાર્ટ પાસે 38 વર્ષના જ્હોન રીલે નામક પિસ્તોલધારીની પોલીસે ધરપકડ કરી છે. તેની મોટરમાંથી પણ શસ્ત્રો અને ઘાતક સરંજામ મળી આવ્યો હતો. રીલે પોતાના ખિસ્સામાં 16 રાઉન્ડનું મેગેઝિન અને બોડી આર્મર પહેરેલું હતું. પોલીસને તેની હિલચાલ શંકાસ્પદ લાગતા નજર રાખી હતી અને ફાયર-આર્મ ખેંચવા ગયો ત્યાં જ પકડી પાડ્યો. તેની મોટરમાંથી ઘાતક શસ્ત્રોનો મોટો જથ્થો મળ્યો. Riley ની પૂછપરછ શરૂ કરી દીધી છે.
ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ નિષ્ફળ!
સુપ્રીમ કોર્ટમાં પ્રથમ મહિલા CJI ની સંભાવના!
ભારત ટૂંક સમયમાં તેના ઇતિહાસમાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (CJI) મેળવશે. રાજ્યસભામાં સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વિધેયક, 2026 પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ જાહેરાત કરી. લોકસભામાં પસાર થયેલા આ વિધેયક બાદ, દેશ પ્રથમ મહિલા CJI જોશે. તેમણે જણાવ્યું કે ન્યાયાધીશોની સંખ્યા 34 થી વધારીને 38 કરવામાં આવી છે, જે વધતા કેસોના ભારણને પહોંચી વળવા અને જૂના કેસોના ઝડપી નિકાલ માટે 4 વિશેષ બેંચની રચના કરશે.
સુપ્રીમ કોર્ટમાં પ્રથમ મહિલા CJI ની સંભાવના!
UGC દ્વારા દેશમાં 32 નકલી યુનિવર્સિટીઓની યાદી જાહેર!
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા દેશમાં 32 નકલી યુનિવર્સિટીઓ કાર્યરત હોવાની ચેતવણી આપવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, આ યાદી UGCની સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. UGC આ સંસ્થાઓ સામે કારણદર્શક નોટિસ અને ચેતવણીઓ જારી કરી રહ્યું છે, અને વિદ્યાર્થીઓ તથા વાલીઓને છેતરપિંડીથી બચવા માટે સાવચેત કરવામાં આવ્યા છે. સંબંધિત રાજ્યોને આ સંસ્થાઓ સામે FIR નોંધવા અને કાનૂની કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. ગુજરાતમાંથી એકપણ યુનિવર્સિટી આ યાદીમાં સામેલ નથી.
UGC દ્વારા દેશમાં 32 નકલી યુનિવર્સિટીઓની યાદી જાહેર!
રાજ્યમાં ખાતર કાળાબજારી અને ટેગિંગ રોકવા સરકારનો નવો પ્રયાસ
રાજ્યના ખેડૂતોને વ્યાજબી ભાવે રાસાયણિક ખાતર મળે તે માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. કૃષિ વિભાગ દ્વારા સબસિડાઈઝડ ખાતરની વિતરણ વ્યવસ્થાની ચકાસણી અને ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા તપાસ અને નિરીક્ષણ અધિકારીઓની નિમણૂક કરાઈ છે. ખાતર વિતરણમાં પારદર્શિતા લાવવા, ઔદ્યોગિક ઉપયોગ, સંગ્રહખોરી, કાળાબજારી, બનાવટી ખાતર અને યુરિયા સાથે અન્ય પ્રોડક્ટના ફરજિયાત ટેગિંગ જેવી ગેરરીતિઓ સામે ખેડૂતોના હિતનું રક્ષણ કરવા આ ટીમો જિલ્લાઓમાં તૈનાત કરાશે.
રાજ્યમાં ખાતર કાળાબજારી અને ટેગિંગ રોકવા સરકારનો નવો પ્રયાસ
રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને કહ્યું, 'તમે કંઈ ખોટું નથી કર્યું, માફીની જરૂર નથી'
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જંતર-મંતર પર પ્રદર્શન કરનારા યુવાન વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. તેમણે જણાવ્યું કે, આ વિદ્યાર્થીઓએ કંઈ પણ ખોટું કર્યું નથી અને તેમને માફી માગવાની કોઈ જરૂર નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને આ પ્રદર્શનકારીઓ પર ગર્વ છે કારણ કે તેઓ ભારતના ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ પર થયેલી હિંસા અને ઉત્પીડન વિશે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અન્યાય સામે લડવું એ દરેક નાગરિકની જવાબદારી છે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, યુવાનોની સમસ્યાઓ, જેમ કે રોજગાર અને પરીક્ષા પ્રણાલી, પ્રાથમિકતાના ધોરણે ઉકેલવી જોઈએ.
રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને કહ્યું, 'તમે કંઈ ખોટું નથી કર્યું, માફીની જરૂર નથી'
શાહરુખ ખાન બન્યા ભારતનાં સૌથી પ્રભાવશાળી સેલિબ્રિટી
બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાને 'ક્રોસ ઈન્ડિયા' રિપોર્ટ મુજબ 2025માં ભારતનાં સૌથી પ્રભાવશાળી સેલિબ્રિટીનો ખિતાબ મેળવ્યો છે. તેમની બ્રાન્ડ વેલ્યુ 22% વધી ₹1,565 કરોડ ($177.9 million) થઈ છે. ગત વર્ષે તેઓ ત્રીજા સ્થાને હતા. રણવીર સિંહ બીજા ક્રમે જ્યારે વિરાટ કોહલી ત્રીજા સ્થાને પહોંચ્યા છે. આ રેન્કિંગ સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા પ્રભાવ પર આધારિત છે.
શાહરુખ ખાન બન્યા ભારતનાં સૌથી પ્રભાવશાળી સેલિબ્રિટી
પિક-અપમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ સંતાડ્યો!
અમદાવાદના સરખેજ પોલીસે બાતમીના આધારે સરખેજ-સાણંદ સર્કલ પાસેના એક ગોડાઉનમાં દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરના જંગી જથ્થા સાથે બે શખસોની ધરપકડ કરી છે. પોલીસે વિદેશી દારૂની બોટલો, મોબાઈલ અને વાહન સહિત કુલ રૂ.11,64,620નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પિક-અપમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ સંતાડ્યો હતો. પોલીસે કુલ 2812 નંગ વિદેશી દારૂની બોટલો અને 144 બીયરના ટીન તેમજ બે મોબાઈલ અને બોલેરો ગાડી સહિત કુલ રૂપિયા 11.64 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પિક-અપમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ સંતાડ્યો!
જાપાનીઝ શેફનો બિરયાની પ્રવાસ!
જાપાનના એક ઉત્સાહી શેફ, તાકામાસા ઓસાવા (Takamasa Osawa), જેમણે ભારતની મુલાકાત દરમિયાન બિરયાનીના સ્વાદથી પ્રેરણા લીધી, તેમને હવે તેમની અદ્ભુત બિરયાની માટે પ્રતિષ્ઠિત મિશેલિન બિબ ગોર્મંડ (Michelin Bib Gourmand) એવોર્ડ મળ્યો છે. 15 વર્ષથી વધુ સમયના ઊંડા અભ્યાસ બાદ, તેમણે ટોક્યોમાં ‘બિરયાની ઓસાવા’ (Biryani Osawa) નામની રેસ્ટોરન્ટ ખોલી. 10 બેઠકો ધરાવતી આ રેસ્ટોરન્ટમાં ગુણવત્તા જાળવી રાખવા દરેક શિફ્ટમાં ફક્ત એક જ બિરયાની પોટ (pot) તૈયાર થાય છે. આ વૈજ્ઞાનિક ચોકસાઈ અને પરંપરાગત સ્વાદ પ્રત્યેના સમર્પણથી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે.
જાપાનીઝ શેફનો બિરયાની પ્રવાસ!
જામનગરના લાલપુર તાલુકાના આરબલુસ ગામમાંથી દારૂ પકડાયો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં પોલીસે એક વાડી પર દરોડો પાડી 9,024 બોટલ ઇંગ્લિશ દારૂ, 18,000 ઢાંકણાં, ટ્રેક્ટર, ટ્રોલી અને કન્ટેનર સહિત કુલ રૂ. 1,30,55,548 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે છ આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે વેચાણના હેતુસર સંતાડી રાખવામાં આવેલો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. તમામ આરોપીઓ ફરાર છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.
જામનગરના લાલપુર તાલુકાના આરબલુસ ગામમાંથી દારૂ પકડાયો
અમદાવાદના શહેરકોટડામાં અસામાજિક તત્વોનો પરિવાર પર પથ્થરમારો
અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં મેમ્કો પાટિયા નજીક નગરની ચાલીમાં અસામાજિક તત્વોએ એક પરિવાર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એક યુવતી સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આખી રાત અસામાજિક તત્વોએ વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો હતો. સિક્યુરિટી ગાર્ડ પિનાકીન અંબાલાલ જાદવની ફરિયાદ મુજબ, 8 લોકોના ટોળાએ ગેરકાયદે મંડળી રચી, ગાળાગાળી કરી, મારમારી અને ઈંટોના મારથી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ મોબાઈલ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
અમદાવાદના શહેરકોટડામાં અસામાજિક તત્વોનો પરિવાર પર પથ્થરમારો
જમ્મુ-કાશ્મીરમાં વિદેશી પ્રવાસીઓમાં 44% ઘટાડો!
જમ્મુ-કાશ્મીર તેની કુદરતી સુંદરતા માટે પ્રખ્યાત હોવા છતાં, આતંકવાદી પ્રવૃત્તિઓના કારણે પ્રવાસન ક્ષેત્રે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, 2025માં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 44% થી વધુનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, ભારતીય મુસાફરોની સંખ્યામાં પણ લગભગ 23% નો ઘટાડો થયો છે, જે 2024 ની સરખામણીમાં નોંધપાત્ર છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ પ્રવાસીઓના આગમનમાં આવેલી આ મંદી ચિંતાનો વિષય બની છે.
જમ્મુ-કાશ્મીરમાં વિદેશી પ્રવાસીઓમાં 44% ઘટાડો!
અમદાવાદ IT કંપનીમાં 1.56 કરોડની ઉચાપતનો માસ્ટરમાઇન્ડ સુરતથી ઝડપાયો
અમદાવાદની એક IT કંપનીમાં પોતાના એડમિન રાઇટ્સનો દુરુપયોગ કરીને રૂપિયા 1.56 કરોડથી વધુની ઉચાપત કરનાર મુખ્ય આરોપીને એલિસબ્રિજ પોલીસે સુરતથી ઝડપી પાડ્યો છે. પોલીસથી બચવા માટે આરોપી નિખિલ રાજેશભાઈ ખલાસ પોતાની ડિજિટલ ઓળખ છુપાવીને અલગ-અલગ રાજ્યોમાં નાસતો ફરતો હતો. તેણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સિસ્ટમમાં મૂળ બીડરના બેંક એકાઉન્ટની જગ્યાએ પોતાનું અને મળતિયાઓનું એકાઉન્ટ સેવ કરી કંપની સાથે કુલ રૂપિયા 1,56,65,211ની છેતરપિંડી કરી હતી. ટેકનિકલ એનાલિસિસથી આરોપી સુરતમાં હોવાની બાતમી મળતા પોલીસે તેને ઝડપી લીધો.
અમદાવાદ IT કંપનીમાં 1.56 કરોડની ઉચાપતનો માસ્ટરમાઇન્ડ સુરતથી ઝડપાયો
10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની ચલણી નોટ ક્યારે આવશે?
ભારતીય રિઝર્વ બેંક (RBI) 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક કરન્સી નોટ નાણાકીય વર્ષ 2028 (FY28) ની શરૂઆતમાં બજારમાં લાવશે. આ અંગે RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી છે. કેન્દ્ર સરકારે 100-100 કરોડ (એક-એક અબજ) પોલિમર નોટના ફિલ્ડ ટ્રાયલ માટે મંજૂરી આપી દીધી છે. આ પોલિમર નોટનો પાયલોટ પ્રોજેક્ટ હાલ પ્રક્રિયા હેઠળ છે. જો ટ્રાયલ સફળ રહેશે તો તેને કાયમી ધોરણે બહાર પાડવામાં આવશે. જૂની કાગળની નોટ ચાલુ રહેશે.
10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની ચલણી નોટ ક્યારે આવશે?
ક્રિકેટના દરેક ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે રનનો ખડકલો કરવાનું સ્મરણનું લક્ષય
કર્ણાટકના યુવા બેટ્સમેન સ્મરણ રવિચંદ્રને ઘરેલુ ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. છેલ્લી બે રણજી ટ્રોફી સીઝનમાં 26 ઇનિંગ્સમાં 1534 રન અને ત્રણ ડબલ સેંચ્યુરી સાથે 73.60ની એવરેજ મેળવી, તે દેશની સૌથી મોટી યુવા પ્રતિભાઓમાંનો એક બન્યો છે. ઇન્ટરવ્યૂમાં, સ્મરણે જણાવ્યું કે તેનું મુખ્ય લક્ષ્ય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખવાનું છે. ઈજામાંથી બહાર આવીને 100% ફિટ થયેલ સ્મરણ, મેચો રમવા માટે ઉત્સુક છે.
ક્રિકેટના દરેક ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે રનનો ખડકલો કરવાનું સ્મરણનું લક્ષય
અમદાવાદના દાણીલીમડામાં AMC વાહન પાછળ મોપેડ ઘૂસ્યું
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં વૈકુંઠધામ મંદિર નજીક બુધવારે (5 ઓગસ્ટ) એક બેફામ મોપેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વાહનની પાછળ અથડાતાં ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, મોપેડ ચાલકે અચાનક કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. માથાના ભાગે ગંભીર ઈજા પામેલા ચાલકને સ્થાનિક લોકો અને વાહનચાલકોની મદદથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતે ઈજાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના દાણીલીમડામાં AMC વાહન પાછળ મોપેડ ઘૂસ્યું
2029ની ચૂંટણીમાં Gen Z કેવી રીતે બની શકે છે ગેમ ચેન્જર!
2029ની લોકસભા ચૂંટણીમાં ભારતના રાજકીય ઇતિહાસનું સૌથી મોટું વસ્તી વિષયક (Demographic) પરિવર્તન જોવા મળશે. 'જેન ઝી' (Gen Z) પેઢી પહેલીવાર દેશની સૌથી મોટી પુખ્ત વસ્તી બનીને ચૂંટણીનો એજન્ડા નક્કી કરશે. NEET પરીક્ષા વિવાદ સામે યુવાનોનો મજબૂત અવાજ એ સ્પષ્ટ સંકેત છે કે આ પેઢી માત્ર પ્રેક્ષક નહીં, પણ શાસન સામે સવાલો પૂછતી જાગૃત શક્તિ બની રહી છે. 2029 સુધીમાં Gen Zની વસ્તી મિલેનિયલ્સ કરતાં વધી જશે, જે તેમને દેશની સૌથી પ્રભાવશાળી વોટ બેંક બનાવશે. યુવાનોની ડિજિટલ શક્તિ તેમનો રાજકીય પ્રભાવ વધારશે.
2029ની ચૂંટણીમાં Gen Z કેવી રીતે બની શકે છે ગેમ ચેન્જર!
PM મોદીનો વીડિયો હટાવવા બદલ ઝુકરબર્ગને માફી માંગવા સંસદીય સમિતિની ચેતવણી
પીએમ મોદીના Facebook વીડિયોને હટાવવાના મામલે સંસદીય સમિતિએ Metaના CEO માર્ક ઝુકરબર્ગને 3 દિવસમાં બિનશરતી માફી માંગવાનો આદેશ આપ્યો છે. જો માફી નહીં મળે તો 'સેફ હાર્બર ઇમ્યુનિટી' પાછી ખેંચી લેવાશે. સમિતિ અધ્યક્ષ નિશિકાંત દુબેએ પત્ર લખીને આ કાર્યવાહીની જાણ કરી છે. આ વીડિયો 5-6 કલાક માટે ફેસબુક પરથી હટાવવામાં આવ્યો હતો, જેને સમિતિએ ગંભીરતાથી લીધું છે. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક પ્લેટફોર્મ્સ દેશમાં સરકાર-વિરોધી સામગ્રીને પ્રોત્સાહન આપી રહ્યા છે.
PM મોદીનો વીડિયો હટાવવા બદલ ઝુકરબર્ગને માફી માંગવા સંસદીય સમિતિની ચેતવણી
વિદ્યાર્થીનીનો ઓનલાઈન અનિચ્છનીય માંગણીઓ કરનાર શખ્સ સાયબર પોલીસના હાથે ઝડપાયો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે 18 વર્ષની વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયા પર હેરાન કરનાર અને અનિચ્છનીય માંગણીઓ કરનાર વૃષિત વ્રજલાલ વાળા નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ ફરિયાદીના ભાઈના ફોટોમાં AI ટૂલથી ફેરફાર કરી ધમકી આપી હતી અને વીડિયો કોલ દ્વારા દબાણ કરતો હતો. ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું ટેકનિકલ વિશ્લેષણ કરતાં તેની ઓળખ થઈ હતી. IPC અને IT Act હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. સાયબર પોલીસે વાલીઓને બાળકોની વ્યક્તિગત માહિતી શેર ન કરવાની અપીલ કરી છે.
વિદ્યાર્થીનીનો ઓનલાઈન અનિચ્છનીય માંગણીઓ કરનાર શખ્સ સાયબર પોલીસના હાથે ઝડપાયો
ખાબોચિયાના પાણી ઉડતા ગાડી ચાલક પર હુમલો
વડોદરાના તરસાલી બાયપાસ પાસે થયેલા એક બનાવમાં, ખાડાના ગંદા પાણી ઉડવાથી થયેલા સામાન્ય ઝઘડા બાદ બોલેરો પીકઅપ ચાલક પર ચાર વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ, મોપેડ ચાલકે ઓવરટેક કરવાના કારણે ઉડેલા પાણીના છાંટા અંગે ઝઘડો કરી ગાડીનો કાચ તોડી નાખ્યો હતો. ત્યારબાદ, તે તેના સાથીઓ સાથે આવીને ચાલકને ગડદાપાટુનો માર માર્યો હતો. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખાબોચિયાના પાણી ઉડતા ગાડી ચાલક પર હુમલો
રામ મંદિર આરતી દર્શન પાસની નવી વ્યવસ્થા!
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરમાં દર્શન અને આરતી માટે નવી પાસ વ્યવસ્થા શરૂ કરી છે. ભક્તો આધાર કાર્ડ રજૂ કરીને યાત્રાળુ સુવિધા કેન્દ્રમાંથી પાસ મેળવી શકશે. મંગળા અને શ્રૃંગાર આરતી માટેના પાસ એક દિવસ અગાઉથી અને શયન આરતી માટેના પાસ તે જ દિવસે મળશે. દૈનિક 45 મંગળા, 45 શ્રૃંગાર અને 15 શયન આરતી પાસ ઉપલબ્ધ છે, જ્યારે રામ પરિવાર આરતી માટે 15 પાસ છે. ઓનલાઈન દર્શન માટે 100 પાસ ફાળવાયા છે. જૂના ID આધારિત પાસ રદ થયા બાદ આ ફેરફાર કરાયો છે.