વૃદ્ધા પર દુષ્કર્મ નિષ્ફળ, રોષે ભરાઇ રિક્ષા ચાલકે કરી ઘાતકી હત્યા
વૃદ્ધા પર દુષ્કર્મ નિષ્ફળ, રોષે ભરાઇ રિક્ષા ચાલકે કરી ઘાતકી હત્યા
Published on: 28th August, 2026

રાજકોટમાં સાત હનુમાન મંદિર બહાર ભિક્ષાવૃત્તિ કરતાં ૭૬ વર્ષના લીલાબેન સોલંકીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આરોપી રિક્ષા ચાલક રમેશ વૈધુકિયાએ વૃદ્ધાને રીક્ષામાં લઇ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. નિષ્ફળતા મળતાં તેણે ગુસ્સે થઈ વૃદ્ધાને ધોકાના ઘા ઝીંકી અર્ધબેભાન કરી, બાદમાં તેમની ઘાતકી હત્યા કરી લાશ આજી ડેમમાં ફેંકી દીધી હતી. અગાઉ ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના ગુનામાં ફાંસીની સજા પામેલો આ સાઇકો કિલર જેલમાંથી છૂટ્યા બાદ ફરી ગુનાખોરીમાં સક્રિય થયો હતો.