ખાંભડીયા દાદા મેળામાં સ્ટોલ ભાડાની પહોંચ અને અપશબ્દો મામલે ધીંગાણુ
ખાંભડીયા દાદા મેળામાં સ્ટોલ ભાડાની પહોંચ અને અપશબ્દો મામલે ધીંગાણુ
Published on: 26th August, 2026

ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામમાં ખાંભડીયા દાદાના મેળા દરમિયાન સ્ટોલ ભાડાની પહોંચ આપવા અને અપશબ્દો બોલવા મુદ્દે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. ગ્રામ પંચાયત દ્વારા સ્ટોલ ધારકોને ભાડાની પહોંચ આપવામાં આવી હતી. આ દરમિયાન, પરાક્રમસિંહ જાદવે સરપંચ ઋતુરાજસિંહને રૂપીયા 500ની પહોંચ મુદ્દે અપશબ્દો કહ્યા હતા. આ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ જેમાં ધારીયુ અને લોખંડના પાઈપ વડે હુમલામાં કેટલાક લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. બંને પક્ષો દ્વારા સામ-સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.