NEET વિવાદ વચ્ચે દિલ્હીમાં શિક્ષણ સચિવ બદલાયા
NEET વિવાદ વચ્ચે દિલ્હીમાં શિક્ષણ સચિવ બદલાયા
Published on: 24th July, 2026

NEET પરીક્ષા વિવાદ અને વિરોધ પ્રદર્શનો વચ્ચે, કેન્દ્રીય વહીવટીતંત્રમાં ઉચ્ચ સ્તરે મોટો ફેરફાર કરતાં, 1994ની બેચના IAS અધિકારી નરેશપાલ ગંગવારની શિક્ષણ મંત્રાલય હેઠળના Department of Higher Educationના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ વિનીત જોશીનું સ્થાન લેશે, જેમને પંચાયતી રાજ વિભાગના સચિવ તરીકે બદલવામાં આવ્યા છે. ગંગવાર અગાઉ પશુપાલન અને ડેરી વિભાગમાં સચિવ તથા પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે સેવા આપી ચૂક્યા છે.