CBSE OSM વિવાદ: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકારી જવાબદારી, ખામીઓ દૂર કરવાની ખાતરી
CBSE OSM વિવાદ: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકારી જવાબદારી, ખામીઓ દૂર કરવાની ખાતરી
Published on: 28th May, 2026

CBSE OSM સિસ્ટમમાં સર્જાયેલા હોબાળા બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પહેલીવાર નિવેદન આપ્યું છે. તેમણે વિદ્યાર્થીઓને પડેલી હાલાકીની નૈતિક જવાબદારી સ્વીકારી છે અને ખાતરી આપી છે કે મૂલ્યાંકન પ્રક્રિયામાં કોઈપણ ગેરરીતિ સામે આવશે તો દોષીઓને છોડવામાં આવશે નહીં. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આ ખામીઓને સુધારી લેવામાં આવશે અને યોગ્ય ઉકેલ શોધવામાં આવશે. વિદ્યાર્થીઓ ઉત્તરવહીઓની ધૂંધળી સ્કેન કોપી, અધૂરી તપાસણી અને માર્કિંગમાં ભૂલો જેવી ફરિયાદો કરી રહ્યા છે, જેના કારણે રી-ઇવેલ્યુએશન પ્રક્રિયામાં પણ મુશ્કેલીઓ આવી રહી છે.