મથુરા પરિક્રમા માર્ગ પર ફાયરિંગ: 4 ઘાયલ, શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી.
મથુરા પરિક્રમા માર્ગ પર ફાયરિંગ: 4 ઘાયલ, શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી.
Published on: 28th May, 2026

ઉત્તર પ્રદેશના મથુરામાં જૂની અદાવતના કારણે બે પક્ષો વચ્ચે થયેલા ઝઘડામાં જાહેરમાં ધડાધડ ગોળીબાર થયો. સેવા કેમ્પમાં કેળા વહેંચવા બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું, જેમાં ઈંટ-પથ્થરો ફેંકાયા અને ફાયરિંગ થયું. આ ઘટનામાં 4 લોકોને ગોળી વાગી છે, જેમાં 2ની હાલત ગંભીર છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી.