NHAI 'એક્ટ ઓફ ગોડ'નું બહાનું છોડી ખેડૂતને ₹1.80 કરોડ વળતર ચૂકવવા તૈયાર
NHAI 'એક્ટ ઓફ ગોડ'નું બહાનું છોડી ખેડૂતને ₹1.80 કરોડ વળતર ચૂકવવા તૈયાર
Published on: 28th May, 2026

શિમલા નજીક ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાન માટે 'એક્ટ ઓફ ગોડ'નું બહાનું બનાવનાર NHAI એખેડૂતોને વળતર ચૂકવવા રાજી થયું છે. સફરજનના 440 વૃક્ષો ધરાવનાર નરેન્દ્ર સિંહ રાઠોડને ₹1.80 કરોડ ચૂકવવાની NHAI તૈયારી દર્શાવી છે. NHAI એ ભૂસ્ખલનને કુદરતી આફત ગણાવી જવાબદારી ટાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ અને બાગાયત વિભાગના મૂલ્યાંકન બાદ વળતર આપવા સંમત થયું છે. આ વળતરમાં જમીનની ખરીદી અને વૃક્ષોના નુકસાનનો સમાવેશ થાય છે.