વનતારા દ્વારા હાથી સંરક્ષણ માટે નવી પહેલ!
વનતારા દ્વારા હાથી સંરક્ષણ માટે નવી પહેલ!
Published on: 12th August, 2026

વિશ્વ હાથી દિવસ નિમિત્તે, વનતારાએ હાથી કલ્યાણ, સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે અનેક પહેલની જાહેરાત કરી છે. 260 થી વધુ એશિયાઈ હાથીઓનું સુરક્ષિત આશ્રયસ્થાન વનતારા, હાથી કલ્યાણનું વૈશ્વિક કેન્દ્ર બન્યું છે. અનંત અંબાણીએ જણાવ્યું કે હાથીઓનું તેમના હૃદયમાં ખાસ સ્થાન છે અને ગૌરીના રેસ્ક્યૂથી શરૂ થયેલી તેમની યાત્રા હાથીઓના કલ્યાણ માટે સમર્પિત છે. જયપુર ખાતે અદ્યતન સંભાળ કેન્દ્રની જાહેરાત કરાઈ છે, જેમાં ખાસ સુવિધાઓ હશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય હાથી કલ્યાણ આઉટરીચ કાર્યક્રમ અને બાળકોમાં પ્રાણીઓ પ્રત્યે કરુણા કેળવવા 'માય ફ્રેન્ડ લીલાવતી' જેવી ઝુંબેશ શરૂ કરાઈ છે.