શાસ્ત્રો મુજબ નિર્માણ પામેલ સોમનાથનું હરિહર વન
શાસ્ત્રો મુજબ નિર્માણ પામેલ સોમનાથનું હરિહર વન
Published on: 27th July, 2026

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ નજીક આવેલું હરિહર વન, જે 2007માં ખુલ્લું મુકાયું હતું, તે આજે પણ દરિયાકિનારે અડીખમ ઊભું છે. આ વનની જાળવણીમાં ભૂતપૂર્વ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની અથાગ મહેનત રહેલી છે. દર વર્ષે આ અધિકારીઓ બાળકના ઉછેરની જેમ આ વનની મુલાકાત લે છે. નિવૃત અધિકારી એલ.વી.ચાવડાના જણાવ્યા મુજબ, રાજ્ય કક્ષાના વન મહોત્સવ માટે આ વનનું નિર્માણ થયું હતું અને તેનું નામકરણ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. અહીં 13 વન શાસ્ત્રો મુજબ બનાવાયા છે.