'ના ના કરતે પ્યાર' ફેમ ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે દુખદ અવસાન
'ના ના કરતે પ્યાર' ફેમ ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે દુખદ અવસાન
Published on: 01st June, 2026

બોલિવૂડ અને સંગીત જગતમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. 1960-70ના દાયકામાં પોતાની મધુર આવાજથી લાખો દિલો પર રાજ કરનારા દિગ્ગજ પાર્શ્વ ગાયિકા (Playback Singer) સુમન કલ્યાણપુરનું મુંબઈમાં 89 વર્ષની વયે નિધન થયું છે. વધતી ઉંમરની બીમારીઓને કારણે તેમણે આખરી શ્વાસ લીધા. પદ્મ ભૂષણથી સન્માનિત આ કલાકારના જવાથી સંગીત પ્રેમીઓ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક છવાયો છે. તેમણે 'ના ના કરતે પ્યાર તુમ્હી સે' જેવા અનેક સદાબહાર ગીતો આપ્યા હતા.