પાટણના વૌવા ગામમાં વીજળી પડતાં 35 ઘેટાં મોતને ભેટ્યા
પાટણના વૌવા ગામમાં વીજળી પડતાં 35 ઘેટાં મોતને ભેટ્યા
Published on: 15th September, 2026

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે ગાજવીજ સાથે થયેલા ભારે વરસાદ દરમિયાન આકાશી વીજળી ત્રાટકતાં એક મોટી દુર્ઘટના બની છે. ગામના સીમાડે આવેલા ઘેટાંના વાડા પર વીજળી પડતાં કુલ 35 ઘેટાંના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. આ આફતથી બે રબારી માલધારી પરિવારો પર આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે. રબારી વેલાભાઈ સોમાભાઈના 21 અને રબારી વલ્લભભાઈ કાજળભાઈના 14 ઘેટાં મૃત્યુ પામ્યા છે. મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર દ્વારા પંચનામું અને સહાયની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.