જામનગર જિલ્લામાં વિઘ્નહર્તાનું આગમન શુકનવંતુ સાબિત થયું
જામનગર જિલ્લામાં વિઘ્નહર્તાનું આગમન શુકનવંતુ સાબિત થયું
Published on: 15th September, 2026

જામનગર જિલ્લામાં ગણપતિના આગમન સાથે મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. લાંબા સમયના સૂકાભઠ બાદ ભાદરવામાં થયેલા વરસાદથી નદી-નાળા, ચેકડેમ અને તળાવો નવા નીરથી છલકાયા છે, જે ખેડૂતો અને શહેરીજનો માટે રાહતના સમાચાર છે. ઉભા પાકને જીવનદાન મળ્યું છે. જોકે, શહેરના મુખ્ય પીવાના પાણીના સ્ત્રોત એવા રણજીતસાગર અને સસોઈ ડેમમાં હજુ પણ પાણીની આવક થઈ નથી, જેના કારણે પીવાના પાણીની ચિંતા યથાવત છે. સૌની યોજના મારફતે સસોઈ ડેમમાં પાણી ઠાલવવાની તૈયારી કરાઈ રહી છે.