અમદાવાદમાં વરસાદ વગર રસ્તો બેસી ગયો!
અમદાવાદમાં વરસાદ વગર રસ્તો બેસી ગયો!
Published on: 01st September, 2026

અમદાવાદના આશ્રમ રોડ પર વલ્લભ સદન ચાર રસ્તા પાસે વરસાદ વગર જ રસ્તા પર મોટો ભૂવો પડ્યો છે. આ જ સ્થળની આસપાસ અગાઉ પણ ભૂવો પડ્યો હતો, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કામગીરી અને રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે, જેના પગલે તંત્રએ તાત્કાલિક બેરીકેડ લગાવીને વિસ્તારને સુરક્ષિત કર્યો છે. વરસાદ વિના વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ રસ્તાઓની નબળી ગુણવત્તા અને કામગીરી તરફ સ્પષ્ટ ઇશારો કરે છે, જે વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા માટે ચિંતાજનક છે.