PMની અપીલની અવગણના, હર્ષ સંઘવી સ્વિટ્ઝર્લેન્ડ પ્રવાસે!
PMની અપીલની અવગણના, હર્ષ સંઘવી સ્વિટ્ઝર્લેન્ડ પ્રવાસે!
Published on: 26th May, 2026

ગુજરાતની પ્રજા મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે ઝઝૂમી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવા'ની અપીલને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અવગણીને સ્વિટ્ઝર્લેન્ડ પ્રવાસે જતાં રાજકીય ગરમાવો આવ્યો છે. અગાઉ તેમણે અમેરિકા પ્રવાસ રદ કરીને દેશભક્તિ દેખાડી હતી, પરંતુ હવે આ સ્થિતિ વિપરીત છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે કરકસરના નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે કે પછી સત્તાધીશો માટે પણ? આ પ્રવાસને પગલે વિપક્ષ અને નાગરિકો દ્વારા તીખી પ્રતિક્રિયાઓ અપાઈ રહી છે.