ગીરના સિંહો પર CDV અને બેબેસિયાનો કહેર!
ગીરના સિંહો પર CDV અને બેબેસિયાનો કહેર!
Published on: 26th May, 2026

ગુજરાતના ગીર અભયારણ્યમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયા રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે, જેના કારણે અત્યાર સુધીમાં 8 થી વધુ સિંહો અને સિંહબાળના મોત થયા છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, વનવિભાગે તાત્કાલિક હાઈએલર્ટ જાહેર કર્યું છે અને વન્યજીવોના સંરક્ષણ માટે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. અશક્ત સિંહોને શોધીને તબીબી તપાસ અને સેમ્પલિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે રોગ ફેલાતો અટકાવવા માટે ખાસ ટીમો કાર્યરત છે.