બહુચરાજીના બાંધલિયા તળાવની દુર્દશા
બહુચરાજીના બાંધલિયા તળાવની દુર્દશા
Published on: 29th August, 2026

મહેસાણાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં આવેલું બાંધલિયા તળાવ અત્યંત ગંદકીથી ખદબદી રહ્યું છે. મંદિરની નજીક હોવા છતાં, બસ સ્ટેન્ડના શૌચાલય અને ગટરોના ગંદા પાણી તેમાં ઠલવાઈ રહ્યા છે, જેનાથી અસહ્ય દુર્ગંધ ફેલાય છે. નિયમિત સફાઈના અભાવે જળકુંભીથી ઢંકાયેલું આ તળાવના નવિનીકરણ માટે ત્રણ-ત્રણ ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં, સ્થાનિક તંત્ર દ્વારા કોઈ વિકાસ કાર્યો કરાયા નથી. ગાયકવાડ સમયનું આ ઐતિહાસિક તળાવ, યાત્રાળુઓ માટે ઉપલબ્ધ આધુનિક સુવિધાઓથી વિપરીત, તંત્રની બેદરકારીનું પ્રતિક બની રહ્યું છે.