મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર
મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર
Published on: 29th July, 2026

મહેસાણા જિલ્લામાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની 4 વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાઇરલના કારણે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. મહેસાણા જિલ્લામાં આ પ્રથમ મોત હોવાથી આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. આરોગ્ય વિભાગની ટીમોએ મૃતક બાળકીના ઘર આસપાસ અને સમગ્ર ગામમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ શરૂ કર્યું છે. વાઇરલના ફેલાવાને રોકવા માટે ગામમાં જંતુનાશક દવા છંટકાવ અને અન્ય તકેદારીના પગલાં લેવાયા છે. સરપંચે ગ્રામજનોને સાવચેત રહેવા અને લક્ષણો જણાય તો તુરંત આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.