ચંડોળા માનવ તસ્કરી કેસ: બે બાંગ્લાદેશી આરોપીઓને સખત સજા
ચંડોળા માનવ તસ્કરી કેસ: બે બાંગ્લાદેશી આરોપીઓને સખત સજા
Published on: 04th August, 2026

ચંડોળા-દાનીલીમડા વિસ્તારમાં ગેરકાયદે ઘૂસણખોરી અને સગીર બાળાઓની તસ્કરી કરીને દેહવ્યાપાર કરાવવાના સનસનાટીભર્યા નેટવર્કનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં સબળ પુરાવા રજૂ કરીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને દોષિત ઠેરવી કડક સજા અપાવવામાં સફળતા મેળવી છે. સેશન્સ અને POCSO કોર્ટે 70 પાનાનો ચુકાદો આપીને બે મુખ્ય આરોપીઓને જેલહવાલે કર્યા છે. નામદાર કોર્ટે એક આરોપીને 20 વર્ષ અને બીજાને 14 વર્ષની સખત કેદ તથા દંડની સજા ફટકારી છે.