છોટાઉદેપુર: ઓરસંગ નદીમાં નવા નીર આવતાં પ્રજામાં આનંદ, પાણીની સમસ્યાનો ઉકેલ
છોટાઉદેપુર: ઓરસંગ નદીમાં નવા નીર આવતાં પ્રજામાં આનંદ, પાણીની સમસ્યાનો ઉકેલ
Published on: 29th July, 2026

છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં ઉપરવાસ મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને કારણે નવા નીર આવતાં સ્થાનિક પ્રજામાં ભારે આનંદ ફેલાયો છે. આ સાથે પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવ્યો છે. વર્ષમાં પ્રથમ વખત આવેલ પાણી નિહાળવા મોટી સંખ્યામાં લોકો નદી કિનારે ઊમટી પડ્યા હતા, જ્યાં ઓરસંગ કાંઠે નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા. આ નદી છોટાઉદેપુર જિલ્લા સહિત ગ્રામીણ વિસ્તારો માટે અત્યંત મહત્વની છે.