ડભોઇના કડોદરા ગામમાં રોડ નિર્માણની બેદરકારી
ડભોઇના કડોદરા ગામમાં રોડ નિર્માણની બેદરકારી
Published on: 29th July, 2026

ડભોઇ તાલુકાના કડોદરા ગામમાં નવા રોડ નિર્માણ દરમિયાન ગરનાળું ન મુકવાને કારણે આસપાસના ખેતરોમાં પાણીનો નિકાલ બંધ થયો છે. આ ગંભીર બેદરકારીના લીધે કડોદરાપુરાથી અબ્દુલ્લા ગામ તરફ જતાં રોડની ઊંચાઈ વધારવાથી આશરે 100 વીઘાથી વધુ જમીનમાં ચોમાસાનું પાણી ભરાઈ ગયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરના અયોગ્ય આયોજનને કારણે ડાંગરનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે, જેનાથી ખેડૂતો લાખો રૂપિયાના નુકસાન સાથે આર્થિક સંકટમાં મુકાયા છે.