ગુરુપૂર્ણિમાની ઉજવણી: યુવાનોમાં ધર્મ પ્રત્યે વધતો રસ અને સોશિયલ મીડિયાનો પ્રભાવ
ગુરુપૂર્ણિમાની ઉજવણી: યુવાનોમાં ધર્મ પ્રત્યે વધતો રસ અને સોશિયલ મીડિયાનો પ્રભાવ
Published on: 29th July, 2026

જૂનાગઢના ભવનાથ ખાતે 29 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી થનાર છે, જેમાં હજારો શિષ્યો ગુરુ વંદના માટે આશ્રમોમાં પહોંચશે. આ પ્રસંગે લાડુ, શીરો, અને મોહનથાળ સહિતનો પ્રસાદ તૈયાર કરાયો છે. ભવનાથમાં આગલા દિવસથી જ ભાવિકોની ભીડ જામી છે અને રાત્રિના સંતવાણીનું પણ આયોજન થયું છે. ભાસ્કરે કથાકારો અને સંતો સાથે વાત કરીને યુવાનોમાં ગુરુપૂર્ણિમા તથા ધાર્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે વધી રહેલી રુચિ વિશે જાણ્યું. સોશિયલ મીડિયા પર ધર્મનો પ્રચાર વધતાં યુવાનો આસ્થા અને સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે, જે એક સકારાત્મક પરિવર્તન દર્શાવે છે.