હળવદમાં બેફામ બુલેટ ચાલકન લીધે છાત્રાનું મોત નિપજાવ્યું
હળવદમાં બેફામ બુલેટ ચાલકન લીધે છાત્રાનું મોત નિપજાવ્યું
Published on: 27th June, 2026

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ગત તા.24મીના રોજ રામજી ગોરધનભાઇ દેવીપૂજક નામના શખ્સે પોતાના બુલેટ બાઈક પર અન્ય બે શખ્સો સાથે બેફામ ગતિએ વાહન ચલાવી રોડની સાઈડમાં સ્કૂલથી ઘરે જતી ચાર દીકરીઓને અડફેટે લીધી. આ ગમખ્વાર અકસ્માતમાં રોશનીબેન નામની છાત્રાનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવા છતાં, બુલેટ ચાલક રામજી ગોરધનભાઇ દેવીપૂજક હજુ ફરાર છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.