સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 18મી સદીમાં જીવન જીવવાનો અનુભવ કરતા ડાંગસીયા વસાહતના પરિવારો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 18મી સદીમાં જીવન જીવવાનો અનુભવ કરતા ડાંગસીયા વસાહતના પરિવારો
Published on: 19th July, 2026

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યાના દોઢ વર્ષ બાદ પણ શહેરના અનેક વિસ્તારોમાં વિકાસ પહોંચ્યો નથી. વોર્ડ નંબર 7માં આવેલી ડાંગસીયા વસાહતમાં શ્રમિક પરિવારો પાયાની સુવિધાઓ વગર પીડાઈ રહ્યા છે. રસ્તાઓની હાલત ખરાબ છે, ખુલ્લી ગટરો અને ઠેર-ઠેર કચરાના ઢગલાને કારણે રહીશો 18મી સદીમાં જીવતા હોવાનો અનુભવ કરી રહ્યા છે. અધુરા સીસી રોડ અને પેવર બ્લોકની માંગણી સાથે, જો સુવિધાઓ નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.