Gen Zમાં વધી રહી છે આધ્યાત્મિકતા?
Gen Zમાં વધી રહી છે આધ્યાત્મિકતા?
Published on: 26th August, 2026

વાપીમાં 'મોન્ક એન્ડ સાયન્સ' વિષય પર યોજાયેલા અનોખા કાર્યક્રમમાં 'Gen Z' યુવાનોની આધ્યાત્મિકતા અંગે નવી વિચારધારા જોવા મળી. ધાર્મિક ગુરુઓએ જણાવ્યું કે યુવાનોને ધર્મના નામે ઉપદેશ નહીં, પણ તર્કસંગત સંવાદ અને જીવંત અનુભવ જોઈએ છે. સવાલ પૂછવા એ અશ્રદ્ધા નથી, પરંતુ જિજ્ઞાસા છે. આજના યુવાનોને જડતા નહીં, પણ સાચી સમજણ અને સાયન્ટિફિક માનસિકતા સાથે આધ્યાત્મિકતા સમજાવવી પડશે. પરિવાર અને સમાજની જવાબદારી છે કે આ જિજ્ઞાસાને યોગ્ય દિશા આપે.