શ્રાવણી પૂર્ણિમાએ રક્ષાબંધન: આખો દિવસ બાંધી શકાશે રાખડી
શ્રાવણી પૂર્ણિમાએ રક્ષાબંધન: આખો દિવસ બાંધી શકાશે રાખડી
Published on: 26th August, 2026

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને રક્ષણનું પ્રતીક સમાન રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવાશે. આ વર્ષે 28 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી તેમજ કોઈ વિષ્ટિ દોષ (ભદ્રા) ન હોવાથી શ્રદ્ધાળુઓ આખો દિવસ કોઈપણ સમયે પોતાના ભાઈને રાખડી બાંધી શકશે. સતયુગથી કલિયુગ સુધી રક્ષાસૂત્રની પૌરાણિક કથાઓ શાસ્ત્રો અને વિદ્વાનોના જણાવ્યા અનુસાર, રક્ષાસૂત્ર બાંધવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવે છે.