ખેડામાં ભંગાર માર્ગ પર એક મહિનામાં 20થી વધુ અકસ્માત
ખેડામાં ભંગાર માર્ગ પર એક મહિનામાં 20થી વધુ અકસ્માત
Published on: 04th September, 2026

મહેમિયાદના નેનપુરથી હલધરવાસ તરફ્ જતા માર્ગ પર ઘોડાલીના આંબલી પાટિયા પાસે છેલ્લા એક મહિનામાં 20થી વધુ અકસ્માતો સર્જાયા હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. રોડની ખસ્તાહાલ સ્થિતિને કારણે વાહનચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો છે. દ્વિ-ચક્રી વાહનચાલકો વધુ ભોગ બની રહ્યા છે. રોડ ઉપર જાણે આડી ગીસીઓ પડી ગઈ છે જેને કારણે વાહનચાલકોને 30 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક મહિનામાં અનેક અકસ્માતોમાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની ચર્ચા છે. તેમ છતાં માર્ગ-મકાન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ છે.