વરસાદ ખેંચાતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, ખેડૂતોને આકસ્મિક પાક આયોજનની સલાહ
વરસાદ ખેંચાતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, ખેડૂતોને આકસ્મિક પાક આયોજનની સલાહ
Published on: 04th September, 2026

ભાવનગર જિલ્લામાં ખરીફ ઋતુ ૨૦૨૬માં વરસાદ ખેંચાવાની સ્થિતિને કારણે પાક ઉત્પાદન પર અસર ન થાય અને ઉપલબ્ધ પાણીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે ખેતીવાડી વિભાગે ખેડૂતોને આકસ્મિક પાક આયોજન હેઠળ પગલાં લેવા જણાવ્યું છે. જિલ્લામાં સરેરાશ ૬૪૮ મીમી સામે ૪૭૦ મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે ૪૩૬૯૦૬ હેક્ટર સામે ૪૧૭૪૩૮ હેક્ટરમાં વાવેતર થયું છે. પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોએ એકાંતર ચાસે પિયત આપી ૩૫% પાણી બચાવવું. ડ્રીપ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો. નીંદામણ નિયંત્રણ કરી, શક્ય હોય તો રાસાયણિક ખાતર ટાળી પ્રવાહી ખાતરનો છંટકાવ કરવો. કપાસમાં ચૂસીયા જીવાત માટે લીંબોળીના તેલનો ઉપયોગ કરવો.