ધાર્મિક દાનના નામે વૃદ્ધ વેપારી પાસેથી રૂ. 21.79 લાખની ઠગાઈ
ધાર્મિક દાનના નામે વૃદ્ધ વેપારી પાસેથી રૂ. 21.79 લાખની ઠગાઈ
Published on: 17th September, 2026

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધ વેપારી સાથે 'નરરત્ન મહારાજ સાહેબ ઉપાશ્રય'ના નામે છેતરપિંડી આચરી રૂ. 21.79 લાખ પડાવી લેવાયા છે. ગાંધીનગરના મહુડી ખાતે રહેતા તેજશ સુભાષ શાહે ખોટી ઓળખ આપી વૃદ્ધનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં બેંક ખાતામાં અને ત્યારબાદ આંગડિયા મારફતે લાખો રૂપિયા પડાવ્યા બાદ આરોપીના મોબાઇલ બંધ થઇ ગયા હતા. ઉપાશ્રયનો સંપર્ક કરતાં આવી કોઇ દાનની માંગણી ન હોવાનું બહાર આવ્યું હતું. આખરે આનંદનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેજશ શાહ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.