પાટણ સિદ્ધિ સરોવરમાંથી યુવકની લાશ મળી
પાટણ સિદ્ધિ સરોવરમાંથી યુવકની લાશ મળી
Published on: 17th September, 2026

પાટણના ઐતિહાસિક સિદ્ધિ સરોવરમાં ઝંપલાવીને આપઘાત કરનાર ખાલકપુરા વિસ્તારના યુવક વિકાસ પ્રજાપતિની લાશ બીજા દિવસે SDRF અને ફાયર બ્રિગેડની સંયુક્ત શોધખોળ બાદ મળી આવી. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને SDRFની ટીમોએ તાત્કાલિક બોટ દ્વારા સરોવરમાં કલાકો સુધી શોધખોળ હાથ ધરી હતી. કિનારેથી મળેલા બાઈક અને મોબાઈલ પરથી તેની ઓળખ થઈ હતી. પોલીસે પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.