અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા
Published on: 20th July, 2026

અમદાવાદના ઘૂમા વિસ્તારમાં દીપડાની સતત હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ છે. શરણદીપ મેન્શન સોસાયટીમાં બીજી વખત દીપડો દેખાતા વન વિભાગ દ્વારા તેનું સર્ચ ઓપરેશન વધુ તેજ કરવામાં આવ્યું છે. દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને ડ્રોનની મદદથી પણ શોધખોળ ચાલી રહી છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે અને સ્થાનિકોને સાવચેતી રાખવા, ખાસ કરીને બાળકોને ઘરની બહાર રમવા ન મોકલવા અપીલ કરાઈ છે.