સુરત વન વિભાગ દ્વારા દીપડા માટે ખોરાક રૂપે 50 ચિત્તલ છોડાયા
સુરત વન વિભાગ દ્વારા દીપડા માટે ખોરાક રૂપે 50 ચિત્તલ છોડાયા
Published on: 20th July, 2026

દક્ષિણ ગુજરાતમાં દીપડા જેવા હિંસક વન્યપ્રાણીઓને કુદરતી ખોરાક મળી રહે અને માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવવાના હેતુથી, સુરત વન વિભાગે સાસણ ગીરથી 50 ચિત્તલ (Spotted Deer) લાવી માંડવીના જંગલમાં છોડ્યા છે. આ સ્થાનાંતરણ મે અને જૂન મહિનામાં ત્રણ તબક્કામાં કરવામાં આવ્યું હતું. રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે આ પગલું પર્યાવરણીય સંતુલન પુનઃસ્થાપિત કરવાના લાંબા ગાળાના પ્રયાસનો ભાગ છે. કેમેરા ટ્રેપ્સ અને ફોરેસ્ટ ગાર્ડ્સ દ્વારા સતત મોનિટરિંગ કરાશે.