અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: કુલ મૃત્યુઆંક 10, જવાબદાર કોણ?
અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: કુલ મૃત્યુઆંક 10, જવાબદાર કોણ?
Published on: 20th July, 2026

અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં વધુ એક શ્રમિકના મોત સાથે મૃત્યુઆંક 10 થયો છે. સારવાર હેઠળના વધુ એક દર્દીનું ગંભીર રીતે દાઝી જવાને કારણે સિવિલ હોસ્પિટલમાં નિધન થયું છે, જેમાં 95% થી વધુ દાઝેલા દર્દીનો સમાવેશ થાય છે. હાલમાં 4 લોકો સારવાર હેઠળ છે. રોજી-રોટી કમાવવા આવેલા 10 નિર્દોષ શ્રમિકો તંત્રની બેદરકારીનો ભોગ બન્યા છે. સરકારે સહાય જાહેર કરી છે, પરંતુ સ્થાનિકો અને પીડિત પરિવારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.