વડોદરાના કરચીયા ગામમાં વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો
વડોદરાના કરચીયા ગામમાં વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો
Published on: 20th July, 2026

વડોદરાના સાવલી તાલુકાના કરચીયા ગામે એક વૃધ્ધની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. સાપુતારા પ્રવાસ માટે પૈસાની જરૂર હોવાથી એક સગીર કિશોરે 66 વર્ષીય રમણ રયજીભાઇ રાઠોડિયાની હત્યા કરી હતી. કિશોરે ધોકા વડે વૃધ્ધના માથા તથા મોઢા પર ઘા મારી હત્યા કરી લાશને કેનાલ પાસે ફેંકી દીધી હતી. ત્યારબાદ, વૃધ્ધના બે બકરા વેચીને રૂ. 9500 મેળવ્યા હતા, જેનાથી તેણે સાપુતારા પ્રવાસ ખેડ્યો અને નવા કપડાં તેમજ શુઝ પણ ખરીદ્યા હતા. પોલીસે ધોકો કબજે કર્યો છે.