સ્થાનિક કારીગરો અને ગૃહઉદ્યોગો આત્મનિર્ભર બન્યા
સ્થાનિક કારીગરો અને ગૃહઉદ્યોગો આત્મનિર્ભર બન્યા
Published on: 04th September, 2026

સુરેન્દ્રનગર સહિત સમગ્ર ભારતમાં ચાઇનીઝ રમકડાંનો દબદબો ઘટ્યો છે અને 'મેડ ઈન ઈન્ડિયા' રમકડાંની માંગ વધી છે. એક સમયે ચાઇનીઝ રમકડાંના વર્ચસ્વ હેઠળ સ્થાનિક કારીગરો અને ગૃહઉદ્યોગો મુશ્કેલીમાં હતા. હવે, સરકારી નિયંત્રણો અને 'વોકલ ફોર લોકલ' અભિયાનના કારણે સ્થાનિક કાષ્ઠ-શિલ્પીઓ, સખી મંડળો અને નાના ઉદ્યોગકારો સ્વદેશી રમકડાંના ઉત્પાદનમાં સક્રિય થયા છે. આ રમકડાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને શૈક્ષણિક ડિઝાઈનનો સમન્વય ધરાવે છે, જે સ્થાનિક રોજગારી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપે છે.