વિશ્વામિત્રી નદી પુનર્જીવન: કલાકારો-પર્યાવરણવિદોએ યવતેશ્વર ઘાટ પર લોકઝુંબેશનો પ્રારંભ કર્યો
વિશ્વામિત્રી નદી પુનર્જીવન: કલાકારો-પર્યાવરણવિદોએ યવતેશ્વર ઘાટ પર લોકઝુંબેશનો પ્રારંભ કર્યો
Published on: 23rd June, 2026

વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીને સ્વચ્છ અને હરિયાળી બનાવવા માટે "MAD (Music, Art Dialogue) Over Vishwamitri" પહેલ હેઠળ યવતેશ્વર ઘાટ પર એક અનોખી લોકઝુંબેશ શરૂ થઈ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસના સંયોગે યોજાયેલા કાર્યક્રમમાં નાગરિકો, કલાકારો અને પર્યાવરણવિદો મોટી સંખ્યામાં જોડાયા. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના ઐતિહાસિક નદી ઘાટોને પુનઃ જીવંત કરવાનો છે. કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ નદીના સંરક્ષણ અને જૈવવિવિધતા પર ભાર મૂક્યો, જ્યારે કલાકારોએ સંગીત દ્વારા જાગૃતિ ફેલાવી.