જામખંભાળિયા તાલુકામાં નવા ઘાસ ડેપો
જામખંભાળિયા તાલુકામાં નવા ઘાસ ડેપો
Published on: 12th September, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, ખંભાળિયાના નવા મામલતદાર વિરાંગ વ્યાસે પદભાર સંભાળતા જ પશુપાલકો માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. ખંભાળિયા તાલુકામાં કુલ પાંચ નવા ઘાસ ડેપો શરૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં હરીપર અને ભાણખોખરી ગામે નવા કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અગાઉ કેશોદ, દાતા અને વડત્રા ગામે શરૂ કરાયેલા ડેપો સાથે મળીને કુલ સાત કેન્દ્રો કાર્યરત થશે. આગામી બે દિવસમાં ઘાસચારો ઉપલબ્ધ થતાં જ તેનું વિતરણ શરૂ કરવામાં આવશે. મામલતદાર વ્યાસે ડેપોની મુલાકાત લીધી અને પીવાના પાણીની જરૂરિયાત અંગે પણ રજૂઆત કરી છે.