તરણેતર મેળા પહેલાં સુરેન્દ્રનગર પોલીસનું સઘન ચેકિંગ
તરણેતર મેળા પહેલાં સુરેન્દ્રનગર પોલીસનું સઘન ચેકિંગ
Published on: 12th September, 2026

થાનગઢના ત્રિનેશ્વર મહાદેવ ખાતે યોજાનાર તરણેતરના મેળામાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. રણ વિસ્તાર અને નેશનલ હાઇવે પસાર થતો હોવાથી કાયદો, વ્યવસ્થા અને સલામતી જાળવવા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી એસ.ઓ.જી. શાખા દ્વારા હોટલ, ધાબા, ગેસ્ટ હાઉસ અને ભંગારના ડેલાઓ પર ખાસ ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ દરમિયાન પથીક એપ્લિકેશનમાં મુસાફરોની એન્ટ્રી, સીસીટીવી કેમેરા, ગ્રાહકોના આઈ.ડી. પ્રોફાઈલ અને ભંગારના ડેલામાં રજિસ્ટર નીભાવવામાં આવે છે કે નહીં તેની સઘન તપાસ કરાઈ હતી. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાઈ છે.