સુરત બન્યું શિવમય, મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
સુરત બન્યું શિવમય, મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Published on: 17th August, 2026

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુરત શહેર અને જિલ્લામાં ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદ ગુંજી ઊઠ્યા હતા. ભક્તોના ઘોડાપૂર વચ્ચે સુરત જાણે શિવમય બની ગયું હતું. શહેર-જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં દર્શન માટે લાંબી કતારો લાગી હતી. ખાસ કરીને જળ ચઢાવવાની પરંપરાને લઈને હજારોની સંખ્યામાં કાવડિયાઓ પણ મંદિરોમાં પહોંચ્યા હતા. વડીલો અને મહિલાઓ સાથે Gen Z તથા યુવા વર્ગમાં પણ આરાધનાનો ઉત્સાહ જોવા મળ્યો હતો.