જામનગરનું જળશંકટ ટાળવા 'સૌની યોજના' હેઠળ મચ્છુ-2 ડેમમાંથી આજી-3 ડેમમાં પાણી ઠાલવવાનો શુભારંભ
જામનગરનું જળશંકટ ટાળવા 'સૌની યોજના' હેઠળ મચ્છુ-2 ડેમમાંથી આજી-3 ડેમમાં પાણી ઠાલવવાનો શુભારંભ
Published on: 21st July, 2026

જામનગરમાં વરસાદની અછતને કારણે આજી-3, ઊંડ-1 અને સસોઈ ડેમોમાં પીવાના પાણીનો જથ્થો આગામી દસ દિવસ માટે જ પૂરતો રહ્યો હતો. આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં ભરી "સૌની યોજના" દ્વારા મચ્છુ-2 ડેમમાંથી આજી-3 ડેમમાં પાણી છોડવાનું શરૂ કર્યું છે. આનાથી શહેરની લગભગ સાત લાખની વસ્તી માટે પીવાના પાણીની સમસ્યા હળવી થવાની આશા છે. મહાનગરપાલિકાએ કુલ 550 એમસીએફટી પાણીની માંગણી કરી હતી, જેમાં પ્રથમ તબક્કામાં આજી-3 ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું છે.