ભારે વરસાદે 19 ટ્રેનો રદ કરી, વંદે ભારત-તેજસ અધવચ્ચે રોકાઈ
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદને કારણે રેલવે સેવાઓ ખોરવાઈ ગઈ છે. પાલઘર અને વસઈ-વિરારમાં 300 મીમી વરસાદથી ટ્રેક પાણીમાં ડૂબી ગયા, જેના લીધે મુંબઈ તરફ જતી લાંબા અંતરની ટ્રેનો ઠપ થઈ ગઈ. મુંબઈ-પુણે ઘાટ સેક્શનમાં ભૂસ્ખલનને કારણે પણ સેન્ટ્રલ રેલવેની સેવાઓ પ્રભાવિત થઈ. આશરે એક લાખ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો, જેમાં સુરત રેલવે સ્ટેશન પર 30 હજાર મુસાફરોનો સમાવેશ થાય છે. વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ અને અન્ય ઘણી ટ્રેનોને અધવચ્ચે રોકી દેવાઈ. 8 ફ્લાઇટ્સ પણ વિઝિબિલિટીના અભાવે મોડી પડી.
ભારે વરસાદે 19 ટ્રેનો રદ કરી, વંદે ભારત-તેજસ અધવચ્ચે રોકાઈ
સાઉદી અરબના મોટા તેલ ડિસ્કાઉન્ટથી ભારતને રાહત
વૈશ્વિક એનર્જી માર્કેટમાં સાઉદી અરબે એશિયા માટે તેના 'અરબ લાઈટ' ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ 11 ડોલરનો નોંધપાત્ર ઘટાડો કર્યો છે, જે છેલ્લા 26 વર્ષમાં સૌથી મોટો માસિક ઘટાડો છે. ભારત પોતાની જરૂરિયાતનો 85% કાચો તેલ આયાત કરતું હોવાથી, આ નિર્ણયથી ઈમ્પોર્ટ બિલ ઘટશે અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ તથા મોંઘવારીને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે. સાઉદી અરબની આ રણનીતિ રશિયાને સ્પર્ધા આપવા અને એશિયાઈ માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે છે. જોકે, ભારતમાં પેટ્રોલ-ડીઝલ તરત સસ્તા નહીં થાય, કારણ કે ભાવ રિફાઈનિંગ માર્જિન, ટેક્સ અને ડોલર સામે રૂપિયાના દર જેવા પરિબળો પર પણ આધાર રાખે છે.
સાઉદી અરબના મોટા તેલ ડિસ્કાઉન્ટથી ભારતને રાહત
રામ મંદિર દાન ચોરી બાદ બદ્રીનાથ મંદિરમાં મોટી કાર્યવાહી
અયોધ્યા રામ મંદિરના દાન વિવાદ વચ્ચે હવે બદ્રીનાથ ધામમાં પણ ચઢાવાની ગણતરીમાં ગેરરીતિના આરોપો સામે આવ્યા છે. CCTV ફૂટેજના આધારે બદ્રી-કેદારનાથ મંદિર સમિતિએ અધ્યક્ષના પર્સનલ સેક્રેટરી પ્રમોદ નૌટીયાલને સસ્પેન્ડ કરી 48 કલાકમાં જવાબ માંગ્યો છે. સમગ્ર મામલે 4 સભ્યોની તપાસ સમિતિ રચાઈ છે, જે 7 દિવસમાં અહેવાલ આપશે. ગેરરીતિ સાબિત થશે તો કડક કાર્યવાહી થશે. આ મુદ્દે ઉત્તરાખંડમાં રાજકીય વિવાદ પણ ગરમાયો છે.
રામ મંદિર દાન ચોરી બાદ બદ્રીનાથ મંદિરમાં મોટી કાર્યવાહી
રાજ્યમાં આગામી 3 દિવસ અનેક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય બનતાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં લો-પ્રેશર સિસ્ટમ અને ઓફ-શોર ટ્રફ સક્રિય હોવાથી આગામી 2-3 દિવસ વરસાદ યથાવત રહેશે. ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ, ગાજવીજ સાથે વરસાદ અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી 3 દિવસ અનેક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
રામ મંદિર દાન ચોરી કેસ: ચંપત રાયે અનિલ મિશ્રા અને બેંક પર લગાવ્યા 5 ગંભીર આરોપ
અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરી કેસમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયે SIT સમક્ષ મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. તેમણે ટ્રસ્ટના પૂર્વ સભ્ય અનિલ મિશ્રા અને બેંક અધિકારીઓ સામે 5 ગંભીર આરોપો લગાવ્યા છે. આ આરોપોમાં જાણ બહાર થયેલો MOU, સફાઈ કર્મચારીઓ દ્વારા પૈસા ગણતરી, સુરક્ષા નિયમોની અવગણના, CCTV અને લોખંડના દરવાજાનો અભાવ, તથા અધિકારીઓ દ્વારા જાણીજોઈને બેદરકારીનો સમાવેશ થાય છે. ચંપત રાયે દાવો કર્યો છે કે વિવાદિત પત્ર પર તેમની સહી નથી.
રામ મંદિર દાન ચોરી કેસ: ચંપત રાયે અનિલ મિશ્રા અને બેંક પર લગાવ્યા 5 ગંભીર આરોપ
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ PM મોદીની યોજનાઓની કરી પ્રશંસા!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા યાત્રા દરમિયાન, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ તેમની યોજનાઓ અને કાર્યક્રમોની નકલ કરવાનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે, સારી વાત એ છે કે PM મોદીની યોજનાઓ પર કોઈ કોપીરાઈટ નથી. આ વાત સાંભળીને ઉપસ્થિત લોકો હસી પડ્યા. સુબિયાંતોએ જણાવ્યું કે, ભારત અને ઇન્ડોનેશિયાના વિકાસલક્ષી પડકારો સમાન હોવાથી, ભારતમાં સફળ થયેલી યોજનાઓ ઇન્ડોનેશિયા માટે પણ ઉપયોગી છે. આ ઉપરાંત, ઇન્ડોનેશિયામાં IIM બેંગલુરુનું પ્રથમ વિદેશી કેમ્પસ સ્થાપવાનો કરાર પણ થયો છે, જે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું છે.
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ PM મોદીની યોજનાઓની કરી પ્રશંસા!
ચંપત રાયનું મોટું નિવેદન, ‘મારા પર ખોટા આરોપો, સત્ય બહાર લાવીશ’
અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરીના વિવાદમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યા બાદ ચંપત રાયએ પહેલીવાર મૌન તોડ્યું છે. તેમણે રામભક્તોને સંબોધીને એક પત્ર જાહેર કર્યો છે, જેમાં તેમના પર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. ચંપત રાયએ સોશિયલ મીડિયા પર રામચરિતમાનસની ચૌપાઈ સાથે આ પત્ર શેર કર્યો છે. તેમણે કહ્યું છે કે SITના પ્રારંભિક રિપોર્ટ બાદ ફેલાવવામાં આવી રહેલી વાતો પર અંતિમ રિપોર્ટ આવ્યા બાદ તેઓ સ્પષ્ટ જવાબ આપશે અને સત્ય બહાર આવશે.
ચંપત રાયનું મોટું નિવેદન, ‘મારા પર ખોટા આરોપો, સત્ય બહાર લાવીશ’
પાલિતાણાના ગરાજીયા ગામે સિંહે યુવાન પર હુમલો કર્યો, ૧૫ મિનીટ બાદ છૂટકારો
પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે સિંહે એક ભેંસ પર હુમલો કર્યો હતો. પોતાના માલઢોરને બચાવવા ગયેલા માલધારી યુવાન કાળુભાઇ પર સિંહે હુમલો કરી ઇજા પહોંચાડી. જોકે, ગ્રામજનોના પ્રયાસો અને યુવાનની હિંમત તથા ધૈર્યથી સિંહે ૧૫ મિનીટ બાદ તેને છોડી દીધો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ભાવનગર રીફર કરાયો છે. વન વિભાગ સિંહને પકડવા સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે.
પાલિતાણાના ગરાજીયા ગામે સિંહે યુવાન પર હુમલો કર્યો, ૧૫ મિનીટ બાદ છૂટકારો
ભારત-ઈન્ડોનેશિયા બનાવશે પોતાનું ‘હોર્મુઝ’ !
ભારત અને ઇન્ડોનેશિયા હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક મહત્વ ધરાવતા સબાંગ પોર્ટનો સંયુક્ત વિકાસ કરશે. આ પ્રોજેક્ટ મલક્કા સ્ટ્રેટના પ્રવેશદ્વાર પર સ્થિત છે, જે વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પૈકીનો એક છે. આ વિકાસ ચીનની 'સ્ટ્રિંગ ઓફ પર્લ્સ' વ્યૂહરચનાનો જવાબ ગણાય છે અને હિંદ મહાસાગરમાં ભારતની દરિયાઈ હાજરી મજબૂત કરશે. બંને દેશો આ ક્ષેત્રમાં સુરક્ષા અને વેપારને વેગ આપવા પ્રતિબદ્ધ છે. ચેન્નાઈના તટથી દક્ષિણ પૂર્વમાં દરિયાઈ માર્ગે આગળ વધીએ તો, જહાજ પહેલા બંગાળની ખાડી પાર કરે છે, પછી આંદામાન સાગર તરફ જઈને મલક્કા સુધી પહોંચે છે.
ભારત-ઈન્ડોનેશિયા બનાવશે પોતાનું ‘હોર્મુઝ’ !
એવરેસ્ટ પરથી 30 વર્ષ બાદ શહીદનો મૃતદેહ પાછો લવાશે
વર્ષ 1996માં માઉન્ટ એવરેસ્ટ પર આવેલા ભયંકર બરફીલા તોફાનમાં ITBP (ભારત-તિબેટિયન બોર્ડર પોલીસ)ના લાન્સ નાયક દોરજે મોરૂપ સહિત ત્રણ ભારતીય પર્વતારોહકો શહીદ થયા હતા. હવે લગભગ 30 વર્ષ બાદ ભારત સરકાર દોરજે મોરૂપના નશ્વર અવશેષોને સન્માનપૂર્વક વતન લાવવા માટે એવરેસ્ટના 'ડેથ ઝોન'માં વિશેષ રેસ્ક્યૂ મિશન શરૂ કરશે. લાંબા સમયથી 'ગ્રીન બૂટ' તરીકે ઓળખાતો મૃતદેહ દોરજે મોરૂપનો હોવાનું ITBPના દસ્તાવેજોએ સ્પષ્ટ કર્યું છે, જ્યારે અન્ય બે શહીદોના અવશેષોની શોધ હજુ બાકી છે.
એવરેસ્ટ પરથી 30 વર્ષ બાદ શહીદનો મૃતદેહ પાછો લવાશે
સુરતમાં 'આફત'નો વરસાદ!
સુરત શહેરમાં અવિરત ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. છેલ્લા ૮ કલાકમાં ૧૦ ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં કમરપૂર પાણી ભરાયા છે, જેના પગલે City, BRTS અને ST બસ સેવાઓ ઠપ્પ છે. સરથાણા, જકાતનાકા, લાલદરવાજા અને પાંડેસરા જેવા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે 'Red Alert' જાહેર કર્યું છે.
સુરતમાં 'આફત'નો વરસાદ!
શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ ટીમ ઇન્ડિયા માટે પ્રશ્નાર્થ?
શ્રેયસ અય્યરને સીધા T20 ટીમના કેપ્ટન બનાવવાનો નિર્ણય ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય બન્યો છે. ઇંગ્લેન્ડ પ્રવાસમાં ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટનશિપ, ડ્રેસિંગ રૂમની બોન્ડિંગ અને ટીમની અંદરના તાલમેલ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પસંદગીકારોના આ નિર્ણય પર ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ બની છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની હારથી ટીમની મુશ્કેલીઓ વધી છે. શું આ માત્ર ખરાબ ક્રિકેટનું પરિણામ છે કે નવા કેપ્ટન સાથે ખેલાડીઓની પૂરતી બોન્ડિંગ ન બનવી તે કારણ છે?
શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ ટીમ ઇન્ડિયા માટે પ્રશ્નાર્થ?
રામ મંદિર દાન ચોરી કેસ: 3 આરોપીઓના 24 કલાકના રિમાન્ડ મંજૂર
રામ મંદિર દાન ચોરી કેસમાં અયોધ્યા કોર્ટે ત્રણ આરોપીઓના 24 કલાકના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ તેમને સામસામે બેસાડીને પૂછપરછ કરશે અને પુરાવા એકત્રિત કરશે. આરોપીઓ લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા અને કરુણેશ પાંડે 24 કલાક પોલીસ કસ્ટડીમાં રહેશે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓને તેમના ઠેકાણા પર પણ લઈ જશે અને કૌભાંડ સાથે સંકળાયેલ સામગ્રી શોધી કાઢશે. SITના રિપોર્ટમાં 6 લોકોની સંડોવણી અને સુરક્ષાના પગલાંના અમલીકરણમાં ખામીઓનો ઉલ્લેખ છે. CCTV ફૂટેજમાં નોટોની થપ્પીઓમાંથી ખુલ્લી નોટો છુપાવતા કર્મચારીઓ દેખાયા હતા.
રામ મંદિર દાન ચોરી કેસ: 3 આરોપીઓના 24 કલાકના રિમાન્ડ મંજૂર
મહારાષ્ટ્રમાં બાઈક-ટેક્સી નહીં ચલાવી શકે બહારના લોકો!
મહારાષ્ટ્ર સરકારે Ola, Uber અને Rapido જેવી બાઇક-ટેક્સી સેવાઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે, જે હેઠળ ચાલકો માટે સ્થાનિક નિવાસી પ્રમાણપત્ર (ડોમિસાઇલ) અને મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત રહેશે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકે વિધાનસભામાં જણાવ્યું કે, આગામી ૧ ઓગસ્ટથી આ સેવાઓ માટે નવી પરમિટ જારી કરાશે. બાઇક-ટેક્સી ઓપરેટર્સે સરકારને દરરોજ ₹૫ ફી ચૂકવવી પડશે, જેમાંથી ૨% રકમ વેલફેર ફંડમાં જશે. આ નિર્ણય ગેરકાયદેસર ઓપરેટર્સને નિયંત્રિત કરવા અને ઓટો-ટેક્સી ચાલકોના હિતોના રક્ષણ માટે લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં બાઈક-ટેક્સી નહીં ચલાવી શકે બહારના લોકો!
મિડલ ઈસ્ટમાં ફરી તણાવ: હોર્મુઝમાં જહાજો પર હુમલો.
વિશ્વની તેલ જરૂરિયાતના ૨૦ ટકા માટે મહત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટમાં કમર્શિયલ જહાજો પર થયેલા મિસાઇલ હુમલાના સમાચારથી કાચા તેલની કિંમતોમાં અચાનક ઉછાળો આવ્યો છે. સોમવાર સુધી ૭૧ ડૉલરની આસપાસ ટ્રેડ થતું બ્રેન્ટ ક્રૂડ મંગળવારે વધીને ૭૨.૫૧ ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફેબ્રુઆરીથી ચાલેલું યુદ્ધ અટક્યા બાદ મધ્યસ્થ દેશોની મદદથી શાંતિ વાર્તાના પ્રયાસો ચાલુ હોવા છતાં આ હુમલાએ ચિંતા વધારી છે. ઓમાનના તટ પાસે ઓઇલ ટેન્કર પર થયેલા આ હુમલાથી અમેરિકા-ઈરાન વચ્ચેની આગામી શાંતિ વાર્તા પ્રભાવિત થવાની આશંકા સેવાઈ રહી છે.
મિડલ ઈસ્ટમાં ફરી તણાવ: હોર્મુઝમાં જહાજો પર હુમલો.
'ગરીબ બાળકો પેદા કરશે તો ગરીબી વધશે', અશનીર ગ્રોવરની પત્ની માધુરી
BharatPeના પૂર્વ કો-ફાઉન્ડર અશનીર ગ્રોવર અને તેમની પત્ની માધુરી જૈનના વસતી, અમીરી-ગરીબી અને પરિવાર નિયોજન અંગેના નિવેદનો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. માધુરી જૈને કહ્યું કે, "ગરીબ લોકો વધુ બાળકો પેદા કરશે તો ગરીબી વધશે, જ્યારે અમીર લોકો વધુ બાળકો પેદા કરશે તો અમીરી વધશે." આ નિવેદન પર ઈન્ફ્લુએન્સર નલિની ઉનાગરે અશનીર ગ્રોવરને તેમની 900 કરોડની સંપત્તિ દાન કરવાની સલાહ આપી. અશનીરે પત્નીના નિવેદનની તરફેણ કરતા કહ્યું કે, "ભીખ/ચંદો માંગવાની આ રીત થોડી કેઝ્યુઅલ છે."
'ગરીબ બાળકો પેદા કરશે તો ગરીબી વધશે', અશનીર ગ્રોવરની પત્ની માધુરી
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: ફાંસીની સજા પર 3 મહિનાનો સ્ટે, આરોપીઓ સુપ્રીમમાં જશે
અમદાવાદ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ચુકાદાના અમલ પર ૩ મહિનાનો સ્ટે આપ્યો છે. આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે સમય માંગ્યો હતો. હાઇકોર્ટે પોતાના હુકમના અમલ પર 3 મહિનાનો સ્ટે આપ્યો છે, જેથી આરોપીઓ હવે સજાના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકશે. આ કેસમાં 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત થયા હતા અને 200થી વધુ ઘાયલ થયા હતા. સ્પેશિયલ કોર્ટે 38 આતંકીઓને ફાંસી અને 11ને આજીવન કેદની સજા સંભળાવી હતી, જેની પુષ્ટિ હાઇકોર્ટે કરી હતી.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: ફાંસીની સજા પર 3 મહિનાનો સ્ટે, આરોપીઓ સુપ્રીમમાં જશે
મલક્કાની ખાડી પાસે ભારતીય મિસાઇલો ગોઠવાશે; ચીનની ઊંઘ હરામ!
ભારતે ઈન્ડોનેશિયા સાથે મહત્વપૂર્ણ સંરક્ષણ ડીલ કરી છે, જેમાં 'બ્રહ્મોસ' અને 'અસ્ત્ર' મિસાઈલોનો સમાવેશ થાય છે. આ કરાર ચીનની ચિંતા વધારનાર છે, કારણ કે આ મિસાઈલો મલક્કાની ખાડી જેવા વ્યૂહાત્મક સ્થળોએ ગોઠવાઈ શકે છે. આ પહેલીવાર છે જ્યારે ભારતમાં બનેલી 'અસ્ત્ર' મિસાઈલ અન્ય દેશને નિકાસ થઈ રહી છે. આ ડીલ 'મેક ઈન ઈન્ડિયા' અને ભારતીય હથિયારોની નિકાસને વેગ આપશે. લગભગ 3877 કરોડ રૂપિયાની આ ડીલ હેઠળ, ભારત ઈન્ડોનેશિયાને લોન પણ આપી શકે છે.
મલક્કાની ખાડી પાસે ભારતીય મિસાઇલો ગોઠવાશે; ચીનની ઊંઘ હરામ!
ગુજરાતમાં આગામી બે દિવસ 5 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવના
ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે, જેના કારણે હવામાન વિભાગે આગામી 2 દિવસ 5 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક બની રહી છે. વેલમાર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ત્રણ ટ્રફ જેવી 5 સિસ્ટમ સક્રિય હોવાથી સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને ભાવનગર સહિત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાતમાં આગામી બે દિવસ 5 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવના
'ભારતની નીતિ વિસ્તારવાદ નહીં વિકાસવાદ..', ઈન્ડોનેશિયામાં PM મોદીનું સંબોધન
PM નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાની સંસદને સંબોધતા બંને દેશોના ઐતિહાસિક સંબંધો, લોકશાહી મૂલ્યો અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારતની નીતિ વિસ્તારવાદ નહીં પરંતુ વિકાસવાદ પર આધારિત હોવાનું જણાવ્યું. આ દરમિયાન ઈન્ડોનેશિયાએ પીએમ મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક અને સૈન્ય સન્માન 'બિંતાંગ આદિપૂર્ણ'થી નવાજ્યા. મોદીએ આ સન્માનને 140 કરોડ ભારતીયો, બંને દેશોની મિત્રતા અને વધતા દ્વિપક્ષીય સંબંધોનું ગૌરવ ગણાવી ઈન્ડોનેશિયાની સરકાર અને જનતાનો આભાર વ્યક્ત કર્યો.
'ભારતની નીતિ વિસ્તારવાદ નહીં વિકાસવાદ..', ઈન્ડોનેશિયામાં PM મોદીનું સંબોધન
DSP પાસે 300 કરોડની બેનામી પ્રોપર્ટી!
તેલંગાણાના DSP સંકીરેડ્ડી ભીમ રેડ્ડીની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ બાદ ACBએ મોટી કાર્યવાહી કરી છે. હૈદરાબાદમાં DSPના નિવાસસ્થાન સહિત 16 સ્થળો પર દરોડા પાડ્યા હતા. તપાસમાં જમીન, બંગલા, ફ્લેટ, અઢળક રોકડ, 2 કિલો સોનાના દાગીના અને 20 કિલો ચાંદીની વસ્તુઓ મળી આવી. DSPની અંગત ડાયરીમાંથી બેનામી સંપત્તિ અને દેવાની વિગતો ખુલી છે, જે ચારધામ યાત્રા પહેલા લખાઈ હતી. આ ડાયરી કેસમાં મહત્ત્વનો પુરાવો સાબિત થઈ રહી છે.
DSP પાસે 300 કરોડની બેનામી પ્રોપર્ટી!
વાયનાડમાં ટનલ પ્રોજેક્ટ પર ભૂસ્ખલન: બેના મોત, અનેક દટાયા
કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે એક મોટું ભૂસ્ખલન થયું, જેમાં બે લોકોના મોત નીપજ્યા છે અને અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. અનાક્કામપોયલ-મેપ્પાડી ટનલ રોડ પ્રોજેક્ટના નિર્માણ સ્થળ નજીક આ દુર્ઘટના ઘટી હતી. મંત્રી ટી. સિદ્દીકે આ ઘટનાને "મેન-મેડ લેન્ડસ્લાઇડ" ગણાવી, રેલવે પ્રશાસનની બેદરકારીનો આરોપ લગાવ્યો. NDRF અને ફાયર સર્વિસની ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે.
વાયનાડમાં ટનલ પ્રોજેક્ટ પર ભૂસ્ખલન: બેના મોત, અનેક દટાયા
સુરત ANTM માર્કેટ પાસે વરસાદી પાણીનો દરિયો
સુરતમાં ધોધમાર વરસાદે ANTM માર્કેટને જળબંબાકાર બનાવી દીધું. માર્કેટ બહાર રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીના કારણે કરોડો રૂપિયાના માલસામાન પર સંકટ તોળાતાં વેપારીઓએ લાકડાં અને અન્ય સામગ્રીથી પાણી રોકવાનો પ્રયાસ કર્યો. રસ્તા પર એટલું પાણી ભરાયું કે ટ્રક સહિત અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા અને વાહનવ્યવહાર ઠપ્પ થયો. કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટેક્સટાઇલ માર્કેટ પર તેની માઠી અસર જોવા મળી. પાર્કિંગ અને ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં રહેલો માલસામાન બગડી ન જાય તે માટે વેપારીઓએ ભારે જહેમત ઉઠાવી.
સુરત ANTM માર્કેટ પાસે વરસાદી પાણીનો દરિયો
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ ઍલર્ટ, દરિયાકાંઠે 3 નંબર સિગ્નલ
ગુજરાતમાં એકસાથે ત્રણ ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની હાઈ ઍલર્ટ જાહેર કરી છે. આગામી 24 કલાક ખૂબ જ કટોકટીભર્યા રહેશે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર અસર જોવા મળી શકે છે. સુરત, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી સહિત 8 જિલ્લાઓમાં 'રેડ ઍલર્ટ' જાહેર કરાયું છે. ખરાબ હવામાનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અને પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ ઍલર્ટ, દરિયાકાંઠે 3 નંબર સિગ્નલ
વકફ જમીનો પર યોગી આદિત્યનાથના સપા-કોંગ્રેસ પર આકરા પ્રહાર
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતાપગઢમાં સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે રામ મંદિરના દાનની ચોરીનો ઉલ્લેખ કરી વિપક્ષ પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો. મુખ્યમંત્રીએ સવાલ ઉઠાવ્યો કે હિન્દુ આસ્થા પર હુમલો કરતો વિપક્ષ વકફ બોર્ડની જમીનોના મુદ્દે કેમ મૌન છે? તેમણે જણાવ્યું કે વિપક્ષી પાર્ટીઓ ‘કાચિંડા પણ શરમાઈ જાય તેવી રાજનીતિ’ કરી રહી છે. તેમણે દાવો કર્યો કે વકફના નામે હજારો હેક્ટર જમીન વેચાઈ ગઈ, છતાં કોંગ્રેસ અને સપા મૌન છે.
વકફ જમીનો પર યોગી આદિત્યનાથના સપા-કોંગ્રેસ પર આકરા પ્રહાર
રામ મંદિર દાન વિવાદ: SITની ₹124 કરોડના ખર્ચ પર નજર, પ્રાણ પ્રતિષ્ઠા બિલનું પણ ઓડિટ
રામ મંદિર ટ્રસ્ટમાં દાનની ચોરીના વિવાદ વચ્ચે, વિશેષ તપાસ ટીમ (SIT)એ પોતાની તપાસનો વ્યાપ વધાર્યો છે. SIT હવે ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષમાં ₹124 કરોડથી વધુના ખર્ચની તપાસ કરી રહી છે, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાછળ થયેલો ₹113 કરોડનો ખર્ચ પણ સામેલ છે. આ ઉપરાંત, મહાકુંભ, પ્રતિષ્ઠા દ્વાદશી અને ધ્વજારોહણ કાર્યક્રમોના ખર્ચની પણ સમીક્ષા થઈ રહી છે. SIT સોના-ચાંદીના દાનના રેકોર્ડ અને સ્ટોરેજ વ્યવસ્થાની પણ ચકાસણી કરી રહી છે. આ વિવાદના કારણે જનરલ સેક્રેટરી ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાએ રાજીનામું આપ્યું છે.
રામ મંદિર દાન વિવાદ: SITની ₹124 કરોડના ખર્ચ પર નજર, પ્રાણ પ્રતિષ્ઠા બિલનું પણ ઓડિટ
સુરતમાં રેડ એલર્ટ વચ્ચે રાજકીય શક્તિ પ્રદર્શનનો રંગ ફિક્કો
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમિતિઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક બાદ યોજાનારા ભવ્ય પદગ્રહણ સમારોહ પર વરસાદી આફતે પાણી ફેરવી દીધું. રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદને કારણે શહેરની સ્થિતિને પ્રાધાન્ય અપાયું. કેટલાક આગેવાનો દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શનની તૈયારીઓ કરાઈ હતી, પરંતુ કુદરતે તમામ યોજનાઓ પર પાણી ફેરવી દીધું. મુખ્ય પદાધિકારીઓએ સમારોહ કરતાં શહેરની સ્થિતિને વધુ મહત્વ આપ્યું. નવા નિયુક્ત અધ્યક્ષો અને ઉપાધ્યક્ષોને પણ ફિલ્ડમાં જવું પડ્યું, જેના કારણે તેમના 'વટ પાડવાના' અભરખા પર વરસાદે સાચા અર્થમાં પાણી ફેરવી દીધું.
સુરતમાં રેડ એલર્ટ વચ્ચે રાજકીય શક્તિ પ્રદર્શનનો રંગ ફિક્કો
ટાપુ બન્યું મુંબઈ, નાસિકમાં મંદિરો બંધ અને કાશ્મીરમાં આભ ફાટ્યું
છેલ્લા ત્રણ દિવસથી મુંબઈમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે અને શહેર ટાપુમાં ફેરવાઈ ગયું છે. અનેક મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે અને રેલવે ટ્રેકને નુકસાન થયું છે, જેના કારણે હજારો મુસાફરો ફસાયેલા છે. IMD એ 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે અને શાળાઓ-કોલેજોમાં રજા છે. નાસિકમાં પણ હાઈ એલર્ટ છે અને મંદિરો બંધ કરાયા છે. કાશ્મીરમાં ડોડા જિલ્લામાં વાદળ ફાટવાથી વાહનો અને મકાનોને નુકસાન થયું છે. ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી છે.
ટાપુ બન્યું મુંબઈ, નાસિકમાં મંદિરો બંધ અને કાશ્મીરમાં આભ ફાટ્યું
રામ મંદિર દાન ચોરી: SIT રિપોર્ટમાં કપડાં અને બૂટમાંથી મળી નોટો
અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીના મામલે SITના રિપોર્ટમાં સુરક્ષાની ગંભીર ખામીઓ અને સંગઠિત ચોરીનો પર્દાફાશ થયો છે. 40 દિવસના CCTV ફૂટેજમાં, કાઉન્ટિંગ રૂમના કર્મચારીઓએ કપડાં અને બૂટમાં નોટો છુપાવી 70 વખત ચોરી કરી. મુખ્ય આરોપી અવિનાશ શુક્લા અને મનીષ યાદવ સીધા ચોરી કરતા ઝડપાયા, જ્યારે અનુકલ્પ મિશ્રા, લવ કુશ મિશ્રા અને કરુણેશ પાંડે મદદ કરતા હતા. નજીવી નોકરી કરતા આ આરોપીઓના બેંક ખાતામાંથી મોટી રકમ મળી આવી. ટ્રસ્ટની સુરક્ષામાં ગંભીર બેદરકારી, કર્મચારીઓની તપાસ ન થતી, અને નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું છે.
રામ મંદિર દાન ચોરી: SIT રિપોર્ટમાં કપડાં અને બૂટમાંથી મળી નોટો
ખાલિસ્તાન મુદ્દો ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધોને અસર કરશે?
ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને ખાલિસ્તાન મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમનો દેશ ગુનાહિત વર્તનને સહન કરશે નહીં, ભલે તે વાણી સ્વાતંત્ર્ય હેઠળ આવતું હોય. હિંસાનો કડક સામનો કરવામાં આવશે. PM મોદીની ન્યૂઝીલેન્ડ મુલાકાત પહેલા આ નિવેદન ચર્ચામાં છે. લક્સનના મતે, ખાલિસ્તાન મુદ્દો ભારત સાથેના સંબંધોને અસર કરશે તેમ તેમને લાગતું નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે ન્યૂઝીલેન્ડમાં કાયદા અને નિયમો સ્પષ્ટ છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે જવાબદારી પણ જોડાયેલી છે. હિંસા માટે કોઈ સ્થાન નથી અને પોલીસ સતર્ક છે.
ખાલિસ્તાન મુદ્દો ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધોને અસર કરશે?
પરિમલ નથવાણીએ ગીરની પ્રખ્યાત સિંહ જોડી 'જય-વીરુ' ને અર્પણ કરી ભાવુક શ્રદ્ધાંજલિ
રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ગીરના લોકપ્રિય સિંહ જય અને વીરુની યાદમાં સાસણ ગીરમાં સિંહસદન અને દેવાળીયા સફારી પાર્ક ખાતે બેકલાઇટ સ્મારક બોર્ડનું અનાવરણ કર્યું. આ પહેલનો ઉદ્દેશ્ય પ્રવાસીઓને જય-વીરુના શૌર્ય અને ગીરના ગૌરવની વાતોથી પરિચિત કરાવવાનો છે. આ બંને સિંહો, જેમણે 'શોલે' ફિલ્મના પાત્રોની યાદ અપાવી, તેમની અતૂટ મિત્રતા અને બહાદુરી માટે જાણીતા હતા. ગયા વર્ષે તેમનું દુઃખદ અવસાન થયું હતું, અને નથવાણીએ 'જય-વીરુની જોડી' ગીત અને 'જય-વીરુની અમર ગાથા' ડોક્યુમેન્ટ્રી દ્વારા તેમની યાદ જીવંત રાખી છે.